ભરૂચ.
ઝઘડિયા તાલુકામાં આવેલાં વાઘપુરા ગામ પાસે રાજપીપળાથી ભરૂચ તરફ જતી એક એસટી બસના ચાલકે પુરઝડપે અનેે ગફલતભરી રીતે બસ હંકારી લાવતાં સુરતથી રાજપીપળા તરફ જતી એક ઇકો કાર સાથે ધડાકાભેર અકસ્માાત સર્જાયો હતો. અકસ્માતમાં અર્પિત શર્મા તેમજ શૈલેષ પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ઇરફાન અલી તેમજ શરીફ ખાનને ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે અવિધા સરકારી હોસ્પિટલમાાં ખસેડવામાં આવ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા અને રાજપીપળા ને જોડતો સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ તદ્દન બિસ્માર હાલતમાં હોવાના કારણે વાહન ચાલકો રોગ સાઈડ ઉપર પોતાનું વાહન હંકારવા મજબૂર બન્યા છે…
વારંવાર સ્થાનિકો ની રજૂઆતો છતાં ઝઘડિયા થી ઉમલ્લા સુધીનો રસ્તો દર ચોમાસામાં એક સાઈડનો રસ્તો બિસ્માર હાલતમાં થઈ જતા વાહન ચાલકો રોંગ સાઈડ વાહન ચલાવવા મજબૂર બનતા અકસ્માતો ને થતા મોત ને ભેટી રહ્યા છે…
