Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

“સહજ સુવિધા અને સમર્પણ સાથે જનસેવા”ના ઉદ્દેશ્યથી નવનિર્મિત જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું

Share

ધારાસભ્ય સર્વે અરૂણસિંહ રણા તેમજ રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિ

ભરૂચ 
નાગરિકોને વધુ સારી સરકારી સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી ભરૂચ મામલતદાર કચેરી ખાતે નવનિર્મિત જનસેવા કેન્દ્રનું લોકાર્પણ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ અન્ય મહાનુભાવોના વરદ હસ્તે જનસેવા કેન્દ્રને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

સહજ સુવિધા અને સમર્પણ સાથે જનસેવા”ના મુખ્ય હેતુ રહ્યો છે. આ જનસેવા કેન્દ્ર નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓની સરળ અને ઝડપી ઉપલબ્ધિ માટે સહાય કરશેતેમજ સરકાર અને જનતા વચ્ચેનો સંવાદ મજબૂત બનાવવા આ કેન્દ્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.  આમ સરકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં જનસેવા કેન્દ્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ તકેધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ધારાસભ્ય  અરૂણસિંહ રાણા સહિતના મહાનુભાવોએ કચેરીની સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતીબા યાદવજિલ્લા અગ્રણીશ્રી તેમજ ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાનિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલ,  અને ભરૂચ પ્રાંત અધિકારી  મનીષા મનાણીમામલતદાર માધવી મિસ્ત્રી સહિત મામલતદાર કચેરીનો સ્ટાફ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નડિયાદ : શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય ખાતે નિ:શુલ્ક કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના નવાચકરા ગામે વીર ભાથીજી મહારાજની 54 મી જન્મ જયંતિ મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરનાં જયદીપ ચૌહાણે મેનેજમેન્ટની પરીક્ષામાં દેશભરમાં 47 મો રેન્ક પ્રાપ્ત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!