ભરૂચ
ભરૂચ જિલ્લાના માંગરોળ તાલુકામાં વાંકલ ખાતે હનુમાનજી મંદિર ના પટાંગણ માં શીતળા માતાજીના પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિ ની ધાર્મિક માન્યતા અનુસાર એક દિવસ આગળ રાંધણ છઠ્ઠ ના દિવસે વિવિધ જાતના પકવાનો બનાવી દેવા માં આવે છે. શીતળા સાતમ ના દિવસે ઠંડુ ખાવાની પ્રથા છે. આજે ઘરમાં ચૂલો પણ સળગાવતા નથી. ઠંડુ ખાવાની પ્રથા વર્ષો જૂની છે. આજે સ્ત્રી ઓ ને ભોજન ના બનાવવાનું હોવાથી ફળિયા ની મહિલાઓ એક જગ્યા ભેગી થઈ શીતળા માતા ની કથા, વાર્તા ઓ નું પઠન કરે છે.
Advertisement
