Proud of Gujarat
bharuchCrime & scandalCultureFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગણેશોત્સવને ઇકો-ફ્રેન્ડલી બનાવીએ, પર્યાવરણ પ્રત્યે આપણી જવાબદારી નિભાવીએ

Share

ભરૂચ

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી,  ભરૂચ દ્વારા નર્મદા નદીને પ્રદુષણ મુક્ત રાખી આવનારી પેઢીઓ માટે સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણનો વારસો આપવા જાહેર જનતાને અપીલ
  • પ્લાસ્ટર ઓફ પેરીસથી બનાવેલ મૂર્તિઓનો વપરાશ કરીશું નહિ અને પાણીમાં સરળતાથી ઓગળી જાય તેવી માટીની ઇકો ફેન્ડલી મૂર્તિઓ જ નર્મદા નદીમાં વિસર્જિત કરીશું.
  • પ્લાસ્ટર ઓફ પેરીસથી બનાવેલ મૂર્તિઓના વિસર્જન બાદ થતાં પ્રદુષણથી જળ સૃષ્ટિને થતાં નુકશાનને ધ્યાને લઈને ગણેશ મંડળોએ ભરૂચ અને નર્મદા નદીને પ્રદુષણથી બચાવવા માત્ર ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના જ કરવી.
  • સીંગલ યુઝ પ્લાસ્ટીક તથા થર્મોકોલનો ઉપયોગ મૂર્તિની બનાવટમાં તથા સાજ સજાવટમાં ન કરતાં માત્ર ઇકો ફ્રેન્ડલી સામ્રગીનો ઉપયોગ કરવો.
  •  ગણેશ મંડળોએ શ્રધ્ધા રાખીએ મોટી, મૂર્તિ રાખીએ નાની – ના સુત્રને અનુસરીને નાની સાઈઝની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના કરવી. મુર્તિઓના રંગોમાં કેમીકલ્સનો ઉપયોગ કરવો નહિ તથા કુદરતી રંગોમટીરીયલ્સનો જ ઉપયોગ કરવો. અને ફૂલ માળાકપડા જેવી સાજ સજાવટ સાથે મૂર્તિઓનું વિસર્જન કરવું નહિ.
                  શ્રદ્ધાળુઓ આ વાત યાદ રાખો જો પર્યાવરણને આપણે માન ન આપીએ તો આપણે ભગવાનને ક્યારેય માન ન આપી શકીએ. ગણેશ મંડળોના સહકારથી ભરૂચની નર્મદા નદી સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત રહી શકે છે. આ પગલાં દ્વારા આપણે આવનારી પેઢીઓ માટે સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણનો વારસો છોડી શકીશું. ભરૂચ જીલ્લાની જાહેર જનતાને પર્યાવરણને નુકશાન ન થાય અને ગણેશ તહેવારનો ઇકો ફ્રેન્ડલી ઉજવણી માટેનો સંકલ્પ કરવા સૌને સહકારની અપેક્ષાએ અપીલ કરવામાં આવે છે.
Advertisement

Share

Related posts

પંચમહાલ : આત્મા પ્રોજેક્ટ કચેરી દ્વારા ઓડિયો કોન્ફરન્સ મારફતે ખેડૂતોને કૃષિ સંબંધિત માર્ગદર્શન અપાયું.

ProudOfGujarat

ઝધડીયા 108 એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા દરિયા ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ, અંકલેશ્વર વાલિયા રોડ પર વૃક્ષ ધરાશાયી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!