ભરૂચ
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી, ભરૂચ દ્વારા નર્મદા નદીને પ્રદુષણ મુક્ત રાખી આવનારી પેઢીઓ માટે સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણનો વારસો આપવા જાહેર જનતાને અપીલ
- પ્લાસ્ટર ઓફ પેરીસથી બનાવેલ મૂર્તિઓનો વપરાશ કરીશું નહિ અને પાણીમાં સરળતાથી ઓગળી જાય તેવી માટીની ઇકો ફેન્ડલી મૂર્તિઓ જ નર્મદા નદીમાં વિસર્જિત કરીશું.
- પ્લાસ્ટર ઓફ પેરીસથી બનાવેલ મૂર્તિઓના વિસર્જન બાદ થતાં પ્રદુષણથી જળ સૃષ્ટિને થતાં નુકશાનને ધ્યાને લઈને ગણેશ મંડળોએ ભરૂચ અને નર્મદા નદીને પ્રદુષણથી બચાવવા માત્ર ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના જ કરવી.
- સીંગલ યુઝ પ્લાસ્ટીક તથા થર્મોકોલનો ઉપયોગ મૂર્તિની બનાવટમાં તથા સાજ સજાવટમાં ન કરતાં માત્ર ઇકો ફ્રેન્ડલી સામ્રગીનો ઉપયોગ કરવો.
- ગણેશ મંડળોએ શ્રધ્ધા રાખીએ મોટી, મૂર્તિ રાખીએ નાની – ના સુત્રને અનુસરીને નાની સાઈઝની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના કરવી. મુર્તિઓના રંગોમાં કેમીકલ્સનો ઉપયોગ કરવો નહિ તથા કુદરતી રંગો, મટીરીયલ્સનો જ ઉપયોગ કરવો. અને ફૂલ માળા, કપડા જેવી સાજ સજાવટ સાથે મૂર્તિઓનું વિસર્જન કરવું નહિ.
શ્રદ્ધાળુઓ આ વાત યાદ રાખો જો પર્યાવરણને આપણે માન ન આપીએ તો આપણે ભગવાનને ક્યારેય માન ન આપી શકીએ. ગણેશ મંડળોના સહકારથી ભરૂચની નર્મદા નદી સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત રહી શકે છે. આ પગલાં દ્વારા આપણે આવનારી પેઢીઓ માટે સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણનો વારસો છોડી શકીશું. ભરૂચ જીલ્લાની જાહેર જનતાને પર્યાવરણને નુકશાન ન થાય અને ગણેશ તહેવારનો ઇકો ફ્રેન્ડલી ઉજવણી માટેનો સંકલ્પ કરવા સૌને સહકારની અપેક્ષાએ અપીલ કરવામાં આવે છે.
Advertisement
