ભરૂચ
ઝાડેશ્વર રોડ ખાતે આવેલા બ્રિજ ઉપર એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી, જેમાં અજાણ વાહન દ્વારા એક ગૌમાતાને ટક્કર વાગતા તેના ઘટનાસ્થળે જ દુખદ મોત નિપજ્યું હતું.જ્યારે સ્થાનિક લોકોને આ ઘટનાની જાણ થઈ, ત્યારે તાત્કાલિક ગરુડ સેના ના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચ્યા અને ગૌમાતાની અંતિમવિધિ માટે યોગ્ય વ્યવસ્થા કરી. ગૌમાતાને ત્યાંથી લઈ જઈને રામ જાનકી આશ્રમ પાસે શ્રદ્ધાપૂર્વક વિધિવત રીતે અંતિમક્રિયા કરાઈ. આ અંતિમવિધિ દરમિયાન ગરુડ સેના ના સભ્યોએ ગૌસેવાના મહાત્મ્ય અંગે પણ લોકોને માહિતગાર કર્યા અને ગૌમાતાની સેવા અને રક્ષા માટે સૌને અપીલ કરી.
