Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે લોકો જાગૃત બન્યા સાથે જિલ્લામાં કેટલું વેકસીનેશન થયું…જાણો.

Share

હાલ કોરોનાની બીજી લહેર ખુબ જ બેકાબુ બની છે ત્યારે ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, સાથે જ શહેર અને જિલ્લામાં અનેક હોસ્પિટલમાં બેડની પૂરતી વ્યવસ્થા નથી, તે વચ્ચે લોકો પણ જાગૃત થઈ રહ્યા છે.

સમગ્ર ભરૂચ જિલ્લામાં કુલ 262 જેટલાં વેક્સીન સેન્ટરો આવેલા છે જેમાં 18 થી વધુ વયના લોકો વેક્સીન લઇ રહ્યાં છે જેમાં લગભગ દરરોજ 6000 જેટલાં લોકોનું વેક્સીનેશન થઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 3,12,322 થી વધુ લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે જે પૈકી પ્રથમ રસીકરણ લગભગ 2,36,000 થી ઉપરાંત લોકોએ કરાવ્યું છે અને બીજી રસીકરણ 75,911 થી વધુ લોકોએ હાલ સુધી કરાવેલ છે. રસીકરણ કરવાથી કોરોના થવાનો ભય ખુબ ઓછો રહેતો હોવાથી કોવીડ વેક્સીનેશન કરવું ખુબ જરૂરી બન્યું છે.

Advertisement

Share

Related posts

પાલેજ માં ત્રણ દુકાનો નાં સટલ નાં તાળા તોડી તસ્કરો એ તરખાટ મચાવ્યો

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીના અધ્યક્ષ સ્થાને બાહી હાઇસ્કુલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર ની ચકચારી લૂંટ માં મનસુખ રાદડિયા પાર આઈ ટી નો સકજો…. જી આઈ ડી સી નોટીફાઈડ એરિયા પાસે સ્થાવર મિલકતો ની તપાસ લૂંટ ની રકમ અચાનક ઘટી શી રીતે ગઈ તેની પણ તપાસ..!!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!