Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે 2 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 5 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે

Share

દુંદાળા દેવ ભગવાન શ્રી ગણેશની આરાધનાનું પર્વ ગણેશ મહોત્સવ તેના અંતિમ ચરણમાં પહોંચ્યું છે ત્યારે અંકલેશ્વરમાં નગર સેવા સદન દ્વારા વિસર્જનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અંકલેશ્વર શહેરમાં બે સ્થળોએ નગર સેવા સદન દ્વારા કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. એક સુરવાડી રોડ પર અને બીજું નવી દિવી ભાથીજી મંદિર નજીક કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં શ્રીજીની 5 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે. નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને નાથવા માટે નગર સેવા સદન દ્વારા પ્રતિવર્ષ કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી છે.જળકુંડ ખાતે નગરસેવા સદનના ફાયર વિભાગના જવાનો તૈનાત અને વિસર્જનની પ્રક્રિયા સંપન્ન કરશે.આ સાથે જ વિસર્જિત થયેલ પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે

Advertisement

Share

Related posts

ભરૂચની કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં ભરૂચના પનોતા પુત્ર શ્રી કનૈયાલાલ માણેક્લાલ મુનશીજીની જન્મ જયંતિ ઉજવાઈ

ProudOfGujarat

ભરૂચની જામા મસ્જિદ મામલે વિવાદ: વાયરલ વીડિયો-ફોટા બાદ ટ્રસ્ટીઓએ જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત, તપાસની માંગ ઉઠી

ProudOfGujarat

દક્ષિણ ગુજરાતમાં વીજળીની અછત નથી : DGVCL એમ. ડી. શ્રી અરવિંદ વિજયન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!