Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગણેશ વિસર્જનમાં ગરબા રમવા બાબતની તકરારની રીસ રાખી 3 યુવાન પર હુમલો

Share

વાગરાના સુવા ગામે બનેલી ઘટનામાં ફરિયાદ નોંધાઇ

ભરૂચ.

Advertisement

વાગરા તાલુકામાં આવેલાં અને દહેજ પાસેના સુવા ગામે રહેતાં ઉદેસંગ સોમા ગોહિલનો પુત્ર પાર્થ ગત 6 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જનમાં ગયો હતો. જ્યાં ગરબો રમવા બાબતે તેની ગામના જ મુકેશ રાઠોડ સાથે તકરાર થઇ હતી. જોકે, બાદમાં તેમાં સમાધાન થઇ ગયું હતું. અરસામાં બીજા દિવસે પાર્થ અને તેના મિત્રો સુવા ગામના બસ સ્ટેન્ડ પાસે હતાં. તે વેળાં અગાઉના ઝઘડાની રીસ રાખી મુકેશ રાઠોડ, જયેશ રાઠોડ, મહેશ રાઠોડ તેમજ નવીન રાઠોડે તેની સાથે પુન: ઝઘડો કર્યો હતો. તેમણે પાર્થને માર મારતાં હોઇ પાર્થના મિત્રો હર્શિત તેમજ કલ્પેશ તેને બચાવવાનો પ્રયાસ કરતાં ચારેય મળી ત્રણેય મિત્રોને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકના આરોગ્યકેન્દ્રમાં ખસેડાયા હતાં. બનાવને પગલે ઉદેસંગ ગોહિલે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વરમાં પાર્ક કરેલી ફોર્ચ્યુનર કારને અજાણ્યા શખ્સોએ સળગાવી, માલિકે બદલો લેવાના ઇરાદાનો આક્ષેપ કર્યો

ProudOfGujarat

ભરૂચ:સ્ટેશન રોડ પર આવેલ શેઠના પ્લાઝા શોપિંગમા આગ લાગી…

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગંઠબંધન નૉ કકળાટ યથાવત, કોંગ્રેસ ના એક જૂથ દ્વારા પત્રકાર પરિસદ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!