પૂર્વ કેબિનેટ મંત્રી અને ૧૫૬–માંગરોળ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાની ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પરિષદના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે સમગ્ર આદિવાસી વિસ્તાર ઉમરગામ થી અંબાજી સુધી આદિવાસી વિસ્તારમાં ખુશીની લહેર વ્યાપી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય પરિષદ સભ્ય એટલે એ વ્યક્તિ જે પાર્ટીના સર્વોચ્ચ સ્તરના સંગઠન “રાષ્ટ્રીય પરિષદ” (National Council) નો ભાગ હોય છે.
ભાજપનું સૌથી મોટું નીતિ નિર્ધારક મંચ “રાષ્ટ્રીય પરિષદ” કહેવાય છે. એમાં દેશભરના તમામ રાજ્ય કક્ષાના નેતાઓ, રાષ્ટ્રીય કાર્યકારણીના સભ્યો, સાંસદો, ધારાસભ્યો અને વિશેષ આમંત્રિત પ્રતિનિધિઓ સામેલ હોય છે ભાજપનો રાષ્ટ્રીય પરિષદ સભ્ય એ એવો સક્રિય નેતા કે પ્રતિનિધી છે, જે પાર્ટીના રાષ્ટ્રીય સ્તરે નિર્ણયો લેવામાં ભાગ લે છે અને પોતાનો વિસ્તાર કે રાજ્ય પાર્ટી સાથે જોડે છે.
