Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

Share

આ કાર્યક્રમ 5મી ઓક્ટોબરના રોજ રોટરીના ચાર્ટર્ડ ડે નિમિત્તે યોજાયો હતો.

સ્વચ્છતા પખવાડિયા ના ભાગરૂપે આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રેલવેના અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટેશન પરિસરની સાફ-સફાઈ કરવામાં આવી હતી. પર્યાવરણના જતન અને સંરક્ષણના હેતુસર વૃક્ષારોપણ પણ કરાયું હતું.આ કાર્યક્રમમાં રોટરી ક્લબના સભ્યો અને રેલવેના કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. રોટરી ક્લબ પ્રમુખ પંકજ ભરવાડા , સેક્રેટરી વિપીન નાયર, પ્રોજેક્ટ ચેર મોહન જોશી, સંજય પાટીલ, જીગ્નેશ પાટીલ, સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ પરમેશ્વર સિંહ સહિત સભ્યો ઉપસ્થિત રહી સ્વચ્છતા સાથે વૃક્ષારોપણ કર્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : શ્રી ઇશ્વરસિંહ પટેલનાં જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલનાં કોરોના વોરીયરનું પુષ્પવર્ષા કરી બહુમાન કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર : અમરાવતી નદી ફરી પ્રદુષિત થતા અસંખ્ય માછલીઓનું મૃત્યુ : ફરિયાદ થતાં જીપીસીબી એ તપાસ હાથધરી.

ProudOfGujarat

ગોધરા:એકતાયાત્રાના પોસ્ટરમાંથી નીતીન પટેલનો ફોટો જ ગાયબ ! રાજકીય વર્તુળોમાં ચર્ચા નો વિષય?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!