Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાના ભીલવાડા ગામના સરપંચને જાનથી મારી નાખવાની ધમકી અપાતા પોલીસ ફરિયાદ કરાય.

Share

વાંકલ ::

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર માંગરોળના ભીલવાડા ગામે ભૂખીનદી ઉપર પુલના નિર્માણનું કામ ચાલી રહ્યું છે.પુલનું બાંધકામ કરનાર કોન્ટ્રાકટર ને આપ ના કાર્યકર્તા ઓ કામ ચાલતું હતું.ત્યાં ચાર વ્યક્તિઓ આવ્યા હતા.તેઓ કોન્ટ્રાકટર ને જણાવ્યું હતુકે તમે પુલનું કામ બરાબર કરતાં નથી.જેથી કોન્ટ્રાકટર મનીષભાઈ ઘીવાણી એ ભીલવાડાના સરપંચ સુનિલ વસાવાને જાણ કરતાં ગામના સભ્યો પ્રવીણભાઈ વસાવા,સન્મુખ વસાવા પ્રકાશવાસાવા સાથે સરપંચ સુનિલભાઈ વસાવા કામ ચાલતું હતું ત્યાં ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. સુનિલભાઈએ જણાવ્યુકે તમે ત્યાં કામ શા માટે બંધ કરાવો છો? તેવું જણાવતા અપશબ્દો બોલી તમે પુલનું કામ બરાબર કરતાં નથી. તેવું જણાવેલ જેથી સરપંચે અપશબ્દો ન બોલવા જણાવતા જસવંત વસાવા, રમેશ વસાવા.રહે.ભીલવાડા.સહદેવ વસાવા.રહે.ઝાંખરડા.ઇહીશ બહાબ શેખ.રહે.માંગરોળ એ કહ્યુકે અમારી વચ્ચે તમારે પડવાની જરૂર નથી નહીંતર તમારા હાથ,પગ ભાંગી જીવતા નહીં રહેવા દઉં તેવું જણાવતા ભીલવાડા ના સરપંચ સુનિલ વસાવા એ તેઓની વિરુદ્ધ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.માંગરોળ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં ઘરફોડ ચોરીના વધતા જતા બનાવોથી જનતા ચિંતિત.

ProudOfGujarat

સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલ કંપનીમાં અકસ્માત સર્જાયો… કામદારનો બેલી કોણ..?.

ProudOfGujarat

આણંદ પોલીસ વડાએ 19 પીએસઆઈ અને 43 પોલીસ જવાનોની બદલી કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!