Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શાંતિ અને સલામતી સાથે સ્નેહભર્યા માહોલમાં નવું વર્ષ પસાર થાય એજ અભ્યર્થના : ડૉ. મતાઉદ્દીન ચિશ્તી

Share

વાંકલ ::

ઘેર- ઘેર ગાયો પાળો, કોમી એકતા, ભાઈચારો, વ્યસન મુક્તિ, ઘેર ઘેર સંસ્કાર આપો તેમજ ઘેર ઘેર વૃક્ષો વાવોનો સંદેશ આપતી મોટામિયાં માંગરોળની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી તથા તેઓના સુપુત્ર અને અનુગામી ડૉ.મતાઉદ્દીન સલીમુદ્દીન – ચિશ્તી દ્વારા નૂતન વર્ષે વિશેષ સંદેશ તેમજ આશીર્વચન આપવામાં આવ્યાં હતા. મોટામિયાં માંગરોળ મુખ્યગાદી ખાતે ડૉ મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુખ, શાંતિ અને સલામતી સાથે સમાનતા અને સ્નેહભર્યા માહોલમાં નવું વર્ષ પસાર થાય એજ અભ્યર્થના. આ ઉપરાંત રહેઠાણ પાલેજ મુકામે વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ મુલાકાત આપી નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી, દેશની એકતા અને ભાઇચારા માટે દુઆ ગુજારી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચના ટંકારીયા ગામમાં એક યુવકે ગળા ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

ભરૂચનાં માથાભારે બુટલેગર નયન કાયસ્થને ભરૂચનાં ગોલ્ડન બ્રિજ નજીક એલ.સી.બી. પોલીસે ઝડપી લીધો હતો.

ProudOfGujarat

અંકલેશ્વર નગપાલિકા સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રંગોળી સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!