Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં એક્ટિવ કેમિકલ્સના ભાગીદારના બંધ મકાનમાં તસ્કરોનો 4.82 લાખનો હાથફેરો 

Share

પરિવારજનો ઘરને તાળું મારી દ્વારકા દેવદર્શને ગયાં હતાં
ભરૂચ.
ભરૂચના ધર્મનગર ટાઉનશીપ ખાતે રહેતાં શૈલેષ બાલકૃષ્ણ શાહ ઝઘડિયા જીઆઇડીસમાં આવેલી એક્ટિવ કેમિકલ્સ કંપનીમાં ભાગીદાર છે. ગત 4 ડિસેમ્બરના રોજ તેઓ તેમની પત્ની તેમજ અન્ય સગાસંબંધીઓ નંદ ટ્રાવેલ્સમાં દ્વારકા ખાતે દર્શન કરવા માટે ગયાં હતાં. ધાર્મિક પ્રવાસ કરીને તેઓ સવારના આઠેક વાગ્યે ઘરે પરત આવ્યાં હતાં. તેમણે ઘરે દરવાજો ખોલવા જતાં તેમના મેઇન દરવાજાનો નકુચો કાપેલી હાલમાં જણાયો હતો. તેમજ તાળું જણાયું નથી. દરવાજો ખુલ્લો હોઇ તેઓએ ઘરમાં જઇ જોતાં તેમના ઘરમાં તમામ સામાન વેરવિખેર પડેલો જણાયો હતો. તેમણે ઘરમાં તમામ સામાનની ચકાસણી કરતાં તસ્કરોએ તેમના ઘરમાંથી 4.82 લાખની મત્તાના સોનાના દાગીના ચોરી થયાં હોવાનું માલુમ પડયું હતું. બનાવને પગલે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોક હિતના પ્રશ્નો માટે લડત લડતા સમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મુક્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે સમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિન હરીફ વરણી થઈ છે. કોંગ્રેસની વિધાર્થી પાંખ એન એસ યુ આઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક્ક અને અધિકાર માટે લડતા સમશાદ અલી સૈયદ નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીતી આવ્યા હતાં. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઈટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાનાં કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલિલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજીવાર વિપક્ષના નેતા તરીકે બિન હરીફ ચૂંટાય આવ્યા છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખૂશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરીકો, શહેરની જનતા , સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે.

ProudOfGujarat

1125 કરોડના એમ.ડી ડ્રગ્સની તપાસમાં થયો મોટો ખુલાસો, જાણો સમગ્ર મામલો.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગેરકાયદેસર રીતે અનાજની હેરાફેરી કરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!