Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કાઠીયાવાડી મુલતાની (પિંજારા) જમાતના ૧૦૦ વર્ષ પુર્ણ થતા સાંસરોદ સ્થિત જુમલા હોલમાં ઉજવણી કરાઈ

Share

| પાલેજ ।

પાલેજ નજીક આવેલા સાંસરોદ સ્થિત જુમલા હોલમાં કાઠીયાવાડી મુલતાની (પિંજારા) જમાતના ૧૦૦ વર્ષ પુર્ણ થતા ઉજવણીની સાથે સાથે એક ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. સમાજના ભૂલકાઓએ નાઅત શરીફ રજુ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. ત્યારબાદ સમાજના અધ્યક્ષ સહિત વડીલો, આગેવાનો, ટેલેન્ટેડ યુવાનો, યુવતીઓનું ટ્રોફી તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ.

Advertisement

ત્યારબાદ વકતા દ્વારા મુલતાની સમાજમાં જે કાર્યો થઈ રહ્યા છે તેનો સુંદર ચિતાર રજુ કરી સમાજલક્ષી કાર્યો થકી સમાજને વધુમાં વધુ આગળ લઈ જવા આહવાન કર્યુ હતુ. સાંપ્રત આધુનિક યુગમાં બાળકોને સુશિક્ષિત બનાવવા પર વિશેષ ભાર મુકયો હતો. કલા શરીફ સ્કુલના આચાર્ય ઈરફાન મુલતાનીએ જણાવ્યુ હતુ કે, આજે કાઠીયાવાડી મુલતાની સમાજના ૧૦૦ વર્ષ પુર્ણ થતા અમે સૌ અહીંયા ભેગા થયા છીએ. અમારા પીરે તરીકત સૈયદ અલ્હાજ બાવા, સમાજના આગેવાનો સાથે અમે ઉજવણી કરી રહ્યા છીએ. સમાજનો ખુબ મોટો ફાળો છે. સમાજના ઉત્થાનમાં અમારા સમાજના દરેક મિત્રોનો ફાળો છે. અમે આગળ પણ સમાજલક્ષી કાર્યો ભેગા મળીને કરીશું.


Share

Related posts

ભરૂચ ના અંકલેશ્વર ખાતે આવેલ જુના દિવા ગામના પરિવાર ના પાંચ સભ્યોના ઘર માં નિગ્રો દ્વારા લાગાવેલ આગ ના કારણે આફ્રિકામાં મોત થયા હતા

ProudOfGujarat

રાજપીપળા જીલ્લા જેલ ખાતે ઈમ્પોર્ટન્સ ઓફ સીટીઝન ડોક્યુમેન્ટસ માટેની શિબિર યોજાઈ.

ProudOfGujarat

આમોદ માં ભીમપુરા ગામમાં રહેણાંક વિસ્તારની નજીક આવેલા તળાવમાં વનવિભાગે મગર પકડી પાડી ગણેશ મંડળોને ભયમુક્ત કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!