પંથકમાં છેલ્લાં કેટલાંક સમયથી પશુચોરો સક્રિય, લોકો પરેશાન
। ભરૂચ ।
ભરૂચના હિંગલોટ ગામે રહેતી મહિલા પશુપાલકના પર સામે બાંધેલાં પશુઓ પૈકીના ૫૦ હજારની મત્તાના ૪ પશુઓની કારમાં ચોરી કરી ગઠિયાઓ રફૂચક્કર થઈ ગયાં હતાં. બનાવ સંદર્ભે તેમણે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ભરૂચ તાલુકામાં આવેલાં હિંગલોટ ગામે રહેતાં સકીલાબેન વાડીવાળા પશુપાલનનો વ્યવસાય કરે છે. તેમની પાસે કુલ ૧૨ બકરા-બકરીઓ છે. ગત ૧૪મી ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે તેમના ઘર આગળની ખુલ્લી રવેશમાં એટલે કે જગ્યામાં તેમણે તેમના પશુઓને બાંધ્યા હતાં. દરમિયાનમાં વહેલી સવારે ચારેક વાગ્યે અચાનક બકરાઓએ બુમ પાડતાં તેઓ અનેતેમના પતિ જાગી ગયાં હતાં. તેઓએ લાઈટ ચાલુ કરી દરવાજો ખોલતાં એક ગાડી તેમના ઘર સામેથી પુરઝડપે જતી રહી હતી. દરમિયાનમાં તેમણે બાંધેલાં બકરા જોતાં ત્યાથી કુલ ૫૦ હજારની મત્તાના ૪ બકરાની ચોરી કરી ગઠિયાઓ રફુચક્કર થઈ ગયાં હોવાનું માલુમ પડ્યું હતું. અત્રે ઉલ્લેખનિ છેકે હિંગલોટ તેમજ આસપાસના ગામોમાંથી પશુઓ ચોરી થવાની ઘટનાઓમાં વધારો થયો છે. પશુચોરો દિવસમાં રેકી કરી રાત્રીના સમયે કાર વાઈન આવી તેમાં પશુઓની ચોરી કરી રફુચક્કર થઈ જતાં હોય છે.
