ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ગામની નવી વસાહતના પાછળ આવેલા ખેતરમાં દીપડો પાંજરે પુરાતા આજે વિસ્તારમાં ભારે ઉત્સુકતા અને રાહતનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની હાજરીને કારણે ગ્રામજનમાં ભય ફેલાયો હતો અને લોકો રાત્રિના સમયે બહાર નીકળતા અચકાતા હતા.
Advertisement
દીપડાની હાજરી અંગે વન વિભાગને જાણ થતાં જ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યોગ્ય આયોજન સાથે પાંજરું મુકવામાં આવ્યું હતું. અંતે દીપડો પાંજરે પુરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વન વિભાગ દ્વારા દીપડાને સલામત રીતે પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ લોકોએ સાવચેત રહેવા અને કોઈ શંકાસ્પદ હલચલ જણાય તો તરત વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
