અંકલેશ્વરના પાનોલી નજીક આવેલા બાકરોલ ગામના રામનગર વિસ્તારમાં કચરાના ઢગલામાં અચાનક આગ લાગી હતી
અંકલેશ્વરના પાનોલી નજીક આવેલા બાકરોલ ગામના રામનગર વિસ્તારમાં કચરાના ઢગલામાં અચાનક આગ ભભૂકી ઉઠતાં આસપાસના રહેણાંક વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાં જ ઘનધોર ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા,જેના કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતા જ પાનોલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થવાની માહિતી પ્રાપ્ત નથી.આ બનાવની જાણ થતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને આગ લાગવાના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણ અંગે તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
