Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન, ભક્તિમય વાતાવરણ છવાયું

Share

નવરાત્રિના પાવન અવસરે શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા માનવ મંદિર ખાતે સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

આ આયોજનમાં અંકલેશ્વર શહેરના ધર્મપ્રેમી ભક્તો અને સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન, સુંદરકાંડ પાઠ અને ધાર્મિક વાતાવરણથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું, જેના કારણે ભક્તિમય માહોલ સર્જાયો હતો.

Advertisement

ગ્રુપના આગેવાનો જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ આ પ્રકારના ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેથી સમાજમાં આધ્યાત્મિકતા અને એકતા વધે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે પરવીન વ્યાસ દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો, જેના માટે આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


Share

Related posts

પોરબંદર : ભારતીય કોસ્ટ ગાર્ડે મધદરિયે માછીમારોનું કર્યું દિલધડક રેસ્ક્યૂ, 7 માછીમારોને બચાવ્યા

ProudOfGujarat

ભરૂચનાં અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર : જીઆઇડીસી વિસ્તારમાં ગડખોલ ગ્રામ પંચાયતના સભ્ય પર જીવલેણ હુમલો, કહ્યું હવે અરજી કરી તો પતાવી નાખીશું..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!