Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ૩૦ માર્ચે રોજગાર ભરતી મેળો, યુવાનો માટે સોનેરી તક

Share

ભરૂચ : ભરૂચ જિલ્લાના બેરોજગાર યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો પૂરી પાડવાના હેતુથી જિલ્લા રોજગાર કચેરી, ભરૂચ દ્વારા તા. ૩૦ માર્ચ ૨૦૨૬ (સોમવાર) ના રોજ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતી મેળામાં SSC પાસ અથવા ITIના કોઈપણ ટ્રેડના ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારનું વજન ઓછામાં ઓછું ૫૫ કિલોગ્રામ અને વય મર્યાદા ૧૮ થી ૨૫ વર્ષ હોવી જરૂરી છે. ખાસ કરીને ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારના પુરુષ ઉમેદવારોને આ તક માટે ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

Advertisement

જિલ્લા રોજગાર અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે કે લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિર્ધારિત તારીખે સમયસર હાજર રહી ભરતી પ્રક્રિયામાં ભાગ લેવો. આ રોજગાર મેળો યુવાનો માટે ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે મહત્વપૂર્ણ તક સાબિત થઈ શકે છે.


Share

Related posts

– અંકલેશ્વરના જગદીશ નગર ખાતેથી અંકલેશ્વર શટર પોલીસે જુગારધામ જડપી પાડ્યું ….-મોટા માથા શ્રાવણિયો જુગાર રમતા જડપાયા …

ProudOfGujarat

ભરૂચ : તા.૪ ડીસેમ્બરે વાગરા તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણની મેગા ડ્રાઈવ યોજાશે.

ProudOfGujarat

ભરુચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષપદે રોડ સેફટી કમિટિની બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!