વાંકલ, માંગરોળ: માંગરોળ તાલુકાના વાંકલ વિસ્તારમાં કમોસમી વરસાદના અમી છાંટા પડતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ઉનાળાની સીઝનમાં અચાનક વરસેલા આ વરસાદથી ખેતપાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે.
વિસ્તારમાં હાલ મગ, તલ અને કેરી જેવા પાક કાપણીના તબક્કે છે. આવા સમયે પડેલા વરસાદથી પાકની ગુણવત્તા ઘટવાની સાથે ઉત્પાદન પર પણ પ્રતિકૂળ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને મગ અને તલના પાકમાં ભેજ વધવાથી નુકસાન અને કેરીમાં ડાઘ પડવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
Advertisement
ખેડૂતોના જણાવ્યા મુજબ, જો આવું જ હવામાન યથાવત રહેશે તો તૈયાર પાકને સીધી અસર પહોંચીને આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે.
