ભરૂચ. : અંકલેશ્વરની સનાતન ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ અને સનાતન ઈન્ટરનેશનલ એકેડમીના સંયુક્ત ઉપક્રમે ‘સક્ષમ કિશોરી’ પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
કિશોરીઓમાં આત્મવિશ્વાસ, જાગૃતિ, સંસ્કાર અને સશક્તિકરણની ભાવના વિકસે તથા તેમનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી ‘સક્ષમ કિશોરી’ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું હોવાનું કાર્યક્રમ દરમિયાન જણાવાયું હતું.
કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેકટર નવનાથ ગવહાણે, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, સનાતન ઈન્ટરનેશનલ સ્કૂલના સંપાદક એલ.બી. પાંડે તેમજ ‘સક્ષમ કિશોરી’ પુસ્તકના લેખક અમિતા જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત શાળાના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પુસ્તકનું વિમોચન થતાં ઉપસ્થિતોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને શિક્ષણ, સંસ્કાર, આત્મવિશ્વાસ અને જાગૃતિના માધ્યમથી સશક્ત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. ‘સક્ષમ કિશોરી’ પુસ્તક આ દિશામાં માર્ગદર્શક બની રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
