Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

જાણો રતન તળાવના કાચબાઓની કેવી રીતે તંત્રીક વિધી માટે કરાતી તસ્કરી

Share

રતન તળાવના કાચબા તાંત્રીક વીધી માટે ઉત્તમ હોવાની માન્યતા

કાચબા તસ્કરીની તપાસ કીમ સુધી પહોંચી

Advertisement

કાચબાની તસ્કરીનો બનાવ હાલ ભરૂચ જિલ્લામા ચોરેને ચવતે ચર્ચાઈ રહ્યો છે. પ્રાથમિક મળતી માહિતી પ્રમાણે કાચબાની તસ્કરી માટે એક આરોપી ઝડપાયો છે. જેને લઈ વન ખાતા ના અમલદારો સુરત જિલ્લાના કિમ વિસ્તારમા તપાસ અર્થે લઈ ગયા છે. હાલ આ તપાસ અત્યંત ગુપ્ત રાહે કરવામાં આવી રહી છે. પરંતુ કાચબાની તસ્કરી શેના માટે…??? તે અંગે ખુબ રસપ્રદ વિગત જાણવા મળેલ છે એમ કહેવાય છે કે કાચબાનો ઉપયોગ તાંત્રીક વિધી માટે પણ કરવામાં આવતો હોય છે એમ મનાય છે કે આવી વીધી કરાવાથી ખુબ ધન લાભ થાય છે. આના માટે રતન તળાવના કાચબા કદમાં મોટા હોવાના પગલે તેણી તાંત્રીક વીધી માટે ખુબ મોટી માંગ છે કાચબાની તસ્કરી કરનારા એકાંતમા તળાવ પાસે ઉભા રહી ખાધય સામગ્રી તળાવમા નાખતા કાચબાઓ ખેંચાઈ આવે છે તે નજીક આવતા તેણે પકડી લેવામાં આવે છે અને ઉંધો કરતા કાચબાના પગ તેમજ મોં તેમજ અન્ય અંગો કાચબો પોતે સંકોરી લે છે તેથી તળવાની તાકત ગુમાવી બેસે છે અને તસ્કરો તેણે લઈ જઈ શકે છે. અલબત્ત આ તમામ બાબતો લોક  ચર્ચાઓ પરથી જાણી શકાય છે. વન ખાતાની તપાસ દરમ્યાન વિગતો બહાર આવે તેવી સંભાવના છે.


Share

Related posts

ગુજરાતનાં 36 શહેરમાં રાત્રી કર્ફ્યુના સમયમાં કરાયો ફેરફાર : રાત્રિના 9 થી 6 સુધી રહેશે અમલ.

ProudOfGujarat

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ તરફથી નવા તવરા તથા નંદેલાવ ગામના આદિવાસી અને ગરીબ કુટુંબોના ભાઈ-બહેનો ને દિવાળી નિમિત્તે ભેટ અપાઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં શબેબરાત પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા સાદગીપૂર્વક અને સરકારની માર્ગદર્શિકા મુજબ ઉજવણી કરાઇ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!