Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર નગરમા એક પછી એક રહસ્યમય બનતા બનાવો

Share

સાગીર વય ના બાળકો અંગે ગુના વધુ બન્યા

અંકલેશ્વર ખાતે છેલ્લા એક મહીનામા સગીર વયના બાળકો સાથે ગુનો કરાયો હોય તેવા બનાવો ઉપરા-છાપરી બનવા માડયા છે જેમ કે અંકલેશ્વર નજીક સગીર વયની કિશોરી પર થયેલ બળત્કાર ત્યાર બાદ સાવાકી માતા ધ્વારા સગીર પુત્ર સાથે અશ્લીલ ચેન ચારા બન્યા બાદ હાલ મા એક ચોંકવાનારો બનાવ બન્યો છે . જેમાં છેલ્લા સાત માસથી એક મહિલાએ બાળકને ગોંધી રાખ્યો હોવાનો બનાવ બન્યો હતો. મળતી માહિતી પ્રમાણે રૂ.૧૦ ની લાલચ આપી આ બાળકનુ અપહરણ કરવામાં આવ્યુ હતું. હાલ તુરંત સી.ટી પો.સ્ટે ના સુત્રોના જણાવ્યા અનુસાર ગત તારિખ ૧૫-૦૯-૨૦૧૭ ના રોજ અંકલેશ્વર ના સંજય નગર મા રહેતો  કતિરામ રામાશાંકર પાશવાન એ પોલીસ મથક ખાતે ફરીયાદ આપી હતી કે તેમણો પુત્ર મોહીત ઉ.વ ૮ ઘરેથી રમવા માટે ગયો હતો. ત્યાર બાદ મોડી રાત્ર સુધી ઘરે ના આવતા તેના પિતા એ તા. ૧૬-૦૯-૨૦૧૭ ના રોજ પિતા એ પુત્ર મોહીત ગુમ થયા હોવાની  સીટી પો.સ્ટે મા ફરિયાદ આપી હતી જો કે પિતા એ શંકા પણ વ્યક્ત કરી હતી કે તેમના પુત્ર મોહીતનુ કદાચ અપહરણ કરવામા આવ્યુ હોઈ શકે જે દિશામા પોલીસે તપાસ શરૂ કરી હતી તે દરમ્યાન સાત માસના સમય બાદ આજ-રોજ  તા.૧૬-૦૩-૨૦૧૮ ના રોજ અંકલેશ્વરના અંકલેશ્વરનસંજય નગર ખાતે મોહીત રહસ્યમય સંજોગોમા મળી આવ્યો હતો તેથી મોહીતને અંકલેશ્વરના સીટી.પો.સ્ટે ખાતે લઈ જવાયો હતો. જ્યાં તપાસ દરમ્યાન ચોંકવનારી એવી વિગત જાણવા મળી હતી કે અંકલેશ્વરના હસ્તીતળાવ બાબાની ચાલ પાસેની રહેતી રશીદા ઈબ્રાહીમ આદમ મુન્શી રૂ.૧૦ ની લાલચ આપી મોહીતને લઈ ગયા હોવાનુ હાલ તુરંત જાણવ્યા મળેલ છે. જો કે આ બનાવની તપાસ દરમ્યાન વિગતો બહાર આવે તેવી પુરે પુરી સંભાવના છે હાલ સીટી પો.સ્ટે અંકલેશ્વર આ બનાવની તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા ખાતે આંબેડકર ભવનની સામે આવેલ ગાંધીજીની પ્રતિમા પાસે સ્વચ્છતા અભિયાનના ઉડયા ધજાગરા.

ProudOfGujarat

ગોધરા : પંચશીલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના(NSS) માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વિશ્વની મોટી ઔદ્યોગિક વસાહતોમાં ગણાતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પૂર્ણ સમયનાં નોટિફાઇડ એરિયા ઓફિસરની નિમણૂક કયારે થશે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!