Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા  પંચાયતની અનુસૂચિત જાતિ  સમાજ કલ્યાણ શાખા અને વાલિયા તાલુકા પંચાયતના સંયુક્ત ઉપક્રમે ડો.બાબા સાહેબ આંબેડકરની 127મી જન્મ જ્યંતિની ઉજવણી કરવારમાં આવી હતી 

Share


     બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની 127મી જન્મ જ્યંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે વાલિયા તાલુકા પંચાયતની કચેરી ખાતે ભરૂચ જિલ્લા  પંચાયતની અનુસૂચિત જાતિ  સમાજ કલ્યાણ શાખા અને વાલિયા તાલુકા પંચાયતના સંયુક્ત ઉપક્રમે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે તાલુકા પંચાયત સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ  કરી શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા સદર કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ રવિશંકર વસાવા અને ભરૂચ જિલ્લા  પંચાયતની અનુસૂચિત જાતિ  સમાજ કલ્યાણ શાખા અધિકારીઓ તેમજ આમંત્રિતો અને દલિત સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
તો વાલિયા તાલુકાના એસટી,એસસી અને માયનોરીટી સમાજના આગેવાનો વિજય વસાવા અને પલાભાઈ વસાવા,વિનય વસાવા અને અન્ય યુવાનો સહીત આગેવાનોએ વાલિયા તાલુકા પંચાયત સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદ્રા ગામમાંથી છ જેટલા નવયુવાનો ગતરોજ અમરનાથ યાત્રા દર્શન માટે ઉપડયા હતા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં કરાડ ગામે ભત્રીજાએ વધુ જમીન આપવાની ના પાડતા કાકાનાં પરિવારનો હુમલો.

ProudOfGujarat

ઝઘડીયાનાં દરિયા ગામે ચૂંટણીની રીસ રાખી પાઇપથી હુમલો કરાતા પાંચ ઇસમો સામે ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!