Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના જુના દીવા ગામે વીજળીનો થાંભલો કામદાર ઉપર પડતા તેનું મોત નિપજયું હતું. બનાવને પગલે અંકલેશ્વર શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

:-પ્રાપ્ત પોલીસ સુત્રિય માહિતી મુજબ મુળ નેત્રંગ તાલુકાના ખાબજી ગામના રહેવાસી વિજય મોતીભાઈ વસાવા ઉ.વ. 32નાઓ અંકલેશ્વર જઈબીમાં વીજકર્મી તરીકે ફરજ બજાવે છે. અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામ પાસે ભાથીજી મંદિર નજીક વીજ કંપનીનાં કર્મચારીઓ લાઈટનો થાંભલો ઉભો કરી રહ્યા હતાં. તે વેળા થાંભલો સીધો વિજય મોતી વસવા પડયો હતો.
વિજયભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જયાં હાજર તબીબે તેનું ગંભીર ઈજાઓના કારણે મોત થયું હોવાનું જણાવ્યું હતું. આ બનાવના પગલે અંકલેશ્વર જીઈબીમાં કામ કરતા કર્મચારીઓમાં શોકનુ મોજુ ફરી વળ્યું હતું. બનાવની જાણ અંકલેશ્વર શહેર પોલીસને થતા પોલીસ સ્ટેશનના એએસઆઈ ધીરજભાઈએ આગળની તપાસ હાથ ધરી છે.
 

Share

Related posts

નર્મદા જીલ્લામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાઇ

ProudOfGujarat

ભરૂચ : ગણેશ ખાંડ ઉદ્યોગ વાલિયા બાબતે ખોટા સમાચારો છાપવા બદલ કોંગ્રેસી અગ્રણી સંદીપ માંગરોલાએ ગુજરાત રાજ્ય ખાંડ નિયામકને લેખિત રજૂઆત કરી.

ProudOfGujarat

ચૂંટણી પતિ અને પાલિકા તેમજ પોલીસ નું તંત્ર ભરૂચમાં જાણે કે પ્રજા પર તૂટી પડ્યું, લારી ગલ્લા નાં દબાણો હટાવાયા તો અનેક વાહન ચાલકો દંડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!