Proud of Gujarat
GujaratFeaturedINDIA

આંતરરાષ્ટ્રિય આદિવાસી દિવસની ઉજવણી સમારોહ યોજાશે

Share

ગોધરા,
પંચમહાલ જિલ્લાના મોરવા(હ) તાલુકાના મોરા ગામે તા. ૯મી ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ આંતરરાષ્ટ્રિય આદિવાસી દિવસની ઉજવણીનો સમારોહ યોજાશે. રાજ્યના ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાનારા આ સમારોહમાં મુખ્ય મહેમાન પદે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમના ચેરમેન શ્રી ડી.ડી. પટેલ, અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ, સાંસદ શ્રી રામસિંહભાઇ રાઠવા, સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણ, ધારાસભ્ય સર્વશ્રી જેઠાભાઇ આહિર, શ્રી સી.કે. રાઉલજી, શ્રી ભુપેન્દ્રસિંહ ખાંટ અને શ્રીમતી સુમનબેન ચૌહાણ ઉપસ્થિત રહેશે.
મોરા ગામના સામુહિક આરોગ્ય કેન્દ્રની સામેના મેદાનમાં સવારના ૧૦/૦૦ કલાકથી શરૂ થનારા જિલ્લા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જિલ્લાના સૌ નાગરિકોને પધારવા જિલ્લા કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહ અને પ્રાયોજના વહીવટદાર શ્રી એમ.એમ. મકવાણા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

ઇન્ડિયા ગંઠબંધન ની જાહેરાત બાદ કહી ખુશી કહી ગમ, ભરૂચ બેઠક પર ના નિર્યણ ને પડકારવા ફૈઝલ પટેલ દિલ્હી જશે

ProudOfGujarat

“તીર્થ બચાવો, ધર્મ બચાવો”, શ્રી સમ્મેદ શિખર તીર્થને પ્રવાસન સ્થળ બનાવવા સામે મુંબઈમાં જૈન સમુદાયનું મોટું આંદોલન

ProudOfGujarat

નર્મદા માં પુર ની સ્થિતિ સર્જાતા ઝઘડીયા તાલુકાના ૬૧ અસરગ્રસ્ત પરિવારો ને સલામત સ્થળે ખસેડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!