Proud of Gujarat
GujaratFeaturedINDIA

શ્રીજી વિસર્જન યાત્રા પાચંબત્તી વિસ્તાર માથી સરૂ થસે…

Share

આ વર્ષે ભરૂચ નગરમાં શ્રીજી યાત્રા અંગે ઐતિહાસીક નિર્ણય લેવાયો છે. જે મુજબ શ્રીજી વિસર્જન યાત્રા ભરૂચના પાંચબત્તી વિસ્તારમાથી શરૂ થશે શ્રીજી વિસર્જન યાત્રા તા.૨૩/૯/૨૦૧૮ ના રોજ રવિવારે સવારે ૧૧ કલાકે પાચંબત્તી ખાતેથી શરૂ થશે જ્યા શ્રીજી ની ભવ્ય આરતીનો ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવેલ છે. સનાતન હિન્દુ ઉત્સવ સમિતિ ભરૂચના પ્રમુખ પ્રકાસ કાયસ્થ ના જણાવ્યા મુજબ શ્રીજી વિસર્જન યાત્રા ના શુભારંભમાં અને આરતીના સમયે પરમ પુજ્ય ઓમકારનંદજી મહારાજ, ધારા સભ્ય દુષ્યંતભાઈ પટેલ ભરૂચ નગર પાલિકાના પ્રમુખ સુરભીબેન તંમબાકુવાલા ખેડુત અગ્રણી જયેશભાઈ પટેલ દિપકભાઈ મિસ્ત્રી વગેરે ઉપસ્થીત રહેશે. મળતી માહીતી પ્રમાણે ભરૂચ ખાતે નાના-મોટા ૧૫૦૦ જેટલા શ્રીજી મહોત્સવ ઉજવાય રહ્યા છે તેથી શ્રીજી વિસર્જન યાત્રામાં પણ ખુબ મોટી સંખ્યામા વિવિધ વિસ્તારના યુવક મંડળો જોડાય એવી સંભાવના છે. અલબત કેટલા શ્રીજી મહોત્સવના આયોજકો આ નિર્ધારીત યાત્રામાં ન જોડાય સ્વતંત્ર રીતે વિસર્જન કરવા જતા હોવાનુ પણ વિતેલા વર્ષોમાં જણાયુ છે.

Advertisement

Share

Related posts

વિરમગામ ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓએ ઘાયલ વ્યક્તિને ૧૦ હજાર રૂપીયા સહિત મહત્વના ડોક્યુમેન્ટ પરત કર્યા

ProudOfGujarat

વડોદરા શહેર-જિલ્લામાં આજથી ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે જિલ્લા રોજગાર વિનિયમ કચેરી ગોધરા દ્વારા જિલ્લા કક્ષાનો સેક્ટર સ્પેસિફિક મેગાજૉબ ફેર અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!