Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાણંદ દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે પથ સંચલન કાઢવામાં આવ્યું

Share

– સાણંદ શહેરમાં ગ્રામજનો, વેપારીઓ દ્વારા ઠેર ઠેર સંચલનનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Advertisement

ન્યુઝ સાણંદ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાણંદ તારીખ :૨૧/૧૦/૨૦૧૮ ને રવિવાર ના દિવસે નગરપાલિકા હૉલ સાણંદ ખાતે વિજયાદશમી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નિવૃત તાલુકા વિકાસ અધિકારી દિનેશભાઇ અજીતભાઇ જાદવ ઉપસ્થીત રહ્યા હતા. આ ઉપરાંત મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુરેન્દ્રનગર વિભાગના સહ કાર્યવાહ ડો.મહેશભાઇ ચૌહાણે ઉપસ્થીત રહીને માર્ગદર્શન આપ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત વિજયાદશમી ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો તથા ગ્રામજનોએ ઉપસ્થીત રહ્યા હતા. વિજયાદશમી ઉત્સવ અંતર્ગત સ્વયંસેવકો દ્વારા પથ સંચલન કાઢવામાં આવ્યું હતું. જે નગરપાલિકા હોલ થી ટપાલ ચોક, પોલિસ ગેટ, મોચી બજાર, રામદેવપીર મંદિર, નાળાની ભાગોળ, ગૌરવ પથ ઉપરથી નગરપાલિકા પરત ફર્યું હતું. સાણંદ શહેરમાં ગ્રામજનો, વેપારીઓ દ્વારા ઠેર ઠેર સંચલનનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


Share

Related posts

સુરત જીલ્લામાં સ્નેચરો બેફામ ! પલસાણામાં મોબાઈલ ન મળતા સ્નેચરોએ ફાયરીંગ કર્યું.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત સંલગ્ન તમામ પ્રોજેકટ દિપાવલી પર્વે તા.૨૪ નાં રોજ પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે.

ProudOfGujarat

જીલ્લા કોંગ્રેસ પ્રમુખઓની વિડીયો કોન્ફરન્સની મીટીંગમાં પંચમહાલ જીલ્લાની માહિતી આપતા પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!