Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાણંદ દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે પથ સંચલન કાઢવામાં આવ્યું

Share

– સાણંદ શહેરમાં ગ્રામજનો, વેપારીઓ દ્વારા ઠેર ઠેર સંચલનનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Advertisement

ન્યુઝ સાણંદ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાણંદ તારીખ :૨૧/૧૦/૨૦૧૮ ને રવિવાર ના દિવસે નગરપાલિકા હૉલ સાણંદ ખાતે વિજયાદશમી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નિવૃત તાલુકા વિકાસ અધિકારી દિનેશભાઇ અજીતભાઇ જાદવ ઉપસ્થીત રહ્યા હતા. આ ઉપરાંત મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુરેન્દ્રનગર વિભાગના સહ કાર્યવાહ ડો.મહેશભાઇ ચૌહાણે ઉપસ્થીત રહીને માર્ગદર્શન આપ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત વિજયાદશમી ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો તથા ગ્રામજનોએ ઉપસ્થીત રહ્યા હતા. વિજયાદશમી ઉત્સવ અંતર્ગત સ્વયંસેવકો દ્વારા પથ સંચલન કાઢવામાં આવ્યું હતું. જે નગરપાલિકા હોલ થી ટપાલ ચોક, પોલિસ ગેટ, મોચી બજાર, રામદેવપીર મંદિર, નાળાની ભાગોળ, ગૌરવ પથ ઉપરથી નગરપાલિકા પરત ફર્યું હતું. સાણંદ શહેરમાં ગ્રામજનો, વેપારીઓ દ્વારા ઠેર ઠેર સંચલનનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


Share

Related posts

મારી દીકરી મારી આંખ સામે નું સૂત્ર સાર્થક : ગોધરા માં ૮૦ જેટલા સ્થળોએ શેરી ગરબામાં ખેલૈયાઓ દ્વારા ગરબાની રંગત : શેરી ગરબા સર્વધન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં શેરી ગરબાને પ્રોત્સાહિત કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી :ઘર આંગણે ગરબાની રમઝટ જામશે ગરબામંડળો દ્વારા દશેરા એ શસ્ત્ર પૂજન કરવામાં આવશે

ProudOfGujarat

ભરૂચ કલેકટરે પંડિત ઓમકારનાથ હોલ ખાતેના ‘રસીકરણ કેમ્પ’ ની મુલાકાત લઈ રસીકરણ ઝૂંબેશનો લાભ લેવા કરી અપીલ…

ProudOfGujarat

કરજણ તાલુકાના ભરથાણા ગામે મારામારીની ઘટનામાં બે ઈસમો વિરૂદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!