Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચના અયોધ્યાનગર ખાતે એક મકાનમાં સોના-ચાંદીના દાગીના સહિત રોકડ મળી લાખોના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર.

Share

ભરૂચના અયોધ્યાનગર ખાતે મકાન નં 2731માં રહેતા નિલેશ લીંબચીયાના પરિવારજનો આજરોજ બપોરના સમયે પાડોશીને ત્યાં દિવાળીના તહેવાર નિમિત્તે ફરસાણ બનાવવા ગયા હતા તે દરમિયાન ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઇ અજાણ્યા તસ્કરોએ નિલેશ લીંબચીયાના મકાનને નિશાન બનાવ્યું હતું. દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી લાખોના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ નિલેશ લીંબચીયાના પરિવારજનો ઘરમાં પરત આવતા તેઓએ સૌપ્રથમ દરવાજો તૂટેલી હાલતમાં જોતા જ ઘરની અંદર તરફ દોડી પહોંચ્યા હતા જે બાદ તેઓને ઘર વેર વિખેર હાલતમાં જોતા ચોરી થઈ હોવાનું જણાઇ આવ્યું હતું.

સમગ્ર ઘટનાની જાણ ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા વાહન અકસ્માતનાં બનાવોનો તુલનાત્મક અભ્યાસ.

ProudOfGujarat

કામરેજ તાલુકાનાં કઠોર સિવિલ કોર્ટમાં રજિસ્ટાર તરીકે ફરજ બજાવતા રાજુભાઈ પરમારે 80 વાર રક્તદાન કરી માનવતાનું ઉમદું ઉદાહરણ સમાજ માટે પ્રેરકરૂપ.

ProudOfGujarat

ઉત્તરાયણ પર્વે ધારદાર દોરીથી ઘાયલ થતા પક્ષીઓ માટે સારવારની વ્યવસ્થા જીવદયા પ્રેમી સંસ્થાઓ સતત કાર્યરત રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!