Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાલોદ ગામના માછીમારોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાજ્યવ્યાપી કૌભાંડ વિરુદ્ધ આવેદન પત્ર પાઠવ્યું.

Share

ભરૂચ જિલ્લાનું ભાલોદ ગામ પવિત્ર નર્મદા નદીના કિનારે વસેલું છે. આ ગામના સ્થાનિકો દ્વારા ખેતી અને માછીમારી કરી રોજગારી મેળવી પોતાનો જીવન નિર્વાહ કરે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ગામની નર્મદા નદીમાં કેટલાક માથાભારે અસામાજિક તત્વો દ્વારા ઝીંગાનું બિયારણ પકડવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ બિયારણ પકડવાની પદ્ધતિ બાવળ સમળો વગેરેના કાંટાના ઝારા બનાવીને નર્મદા નદીના પટમાં મુકવામાં આવેલ છે. જેને આ માથાભારે અસામાજિક તત્વો દ્વારા નર્મદા નદીની ૨૮ જેટલી પ્રજાતિઓઓનું બિયારણ પકડીને ગુજરાત બહારના રાજ્યમાં નજીવી કિંમતે સપ્લાય કરવામાં આવે છે. જેના કારણે અહીંના સ્થાનિક માછીમારોને પોતાની રોજગારી સામે મોટા પ્રશ્નનો સામનો કરવો પડે તેમ છે.

માટે જ, રાજ્ય બહારની કંપનીઓ દ્વારા નર્મદા નદીના પટમાં ગરીબ લોકોને પોતાના હાથો બનાવી કાંટાળા ઝાડી-ઝાંકરા દ્વારા મત્સ્ય બિયારણ કાઢવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા બાબત તથા નર્મદા નદીમાંથી બિયારણ કઢી લેતા અસામાજિક તત્વો-માફિયાઓનું રાજ્યવ્યાપી કૌભાંડની ન્યાયિક વહીવટી તપાસ થાય તે હેતુસર ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભાલોદ ગામના સ્થાનિક માછીમારોએ આવેદન પત્ર પાઠવી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.

Advertisement

Share

Related posts

કરજણના મેસરાડ ગામના ક્રિકેટ મેદાન પર ભરૂચ – કરજણ પ્રમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરાયું.

ProudOfGujarat

હાર્દિક પટેલ જેલમાં બંધ કાર્યકરોને મળવા માટે સુરત ખાતે આવી પહોંચ્યા અને જેલ તથા કોર્ટની મુલાકાત લીધી

ProudOfGujarat

નર્મદા જીલ્લા આદિજાતિ મોરચાના કારોબારી સભ્ય અમિત વસાવા ભાજપાથી કરાયા સસ્પેન્ડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!