Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાલોદ ગામના માછીમારોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાજ્યવ્યાપી કૌભાંડ વિરુદ્ધ આવેદન પત્ર પાઠવ્યું.

Share

ભરૂચ જિલ્લાનું ભાલોદ ગામ પવિત્ર નર્મદા નદીના કિનારે વસેલું છે. આ ગામના સ્થાનિકો દ્વારા ખેતી અને માછીમારી કરી રોજગારી મેળવી પોતાનો જીવન નિર્વાહ કરે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ગામની નર્મદા નદીમાં કેટલાક માથાભારે અસામાજિક તત્વો દ્વારા ઝીંગાનું બિયારણ પકડવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ બિયારણ પકડવાની પદ્ધતિ બાવળ સમળો વગેરેના કાંટાના ઝારા બનાવીને નર્મદા નદીના પટમાં મુકવામાં આવેલ છે. જેને આ માથાભારે અસામાજિક તત્વો દ્વારા નર્મદા નદીની ૨૮ જેટલી પ્રજાતિઓઓનું બિયારણ પકડીને ગુજરાત બહારના રાજ્યમાં નજીવી કિંમતે સપ્લાય કરવામાં આવે છે. જેના કારણે અહીંના સ્થાનિક માછીમારોને પોતાની રોજગારી સામે મોટા પ્રશ્નનો સામનો કરવો પડે તેમ છે.

માટે જ, રાજ્ય બહારની કંપનીઓ દ્વારા નર્મદા નદીના પટમાં ગરીબ લોકોને પોતાના હાથો બનાવી કાંટાળા ઝાડી-ઝાંકરા દ્વારા મત્સ્ય બિયારણ કાઢવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા બાબત તથા નર્મદા નદીમાંથી બિયારણ કઢી લેતા અસામાજિક તત્વો-માફિયાઓનું રાજ્યવ્યાપી કૌભાંડની ન્યાયિક વહીવટી તપાસ થાય તે હેતુસર ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભાલોદ ગામના સ્થાનિક માછીમારોએ આવેદન પત્ર પાઠવી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.

Advertisement

Share

Related posts

નેત્રંગ ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક અંતર્ગત રૂરલ કેમ્પનું આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ તથા હાંસોટ તાલુકા કાનુની સેવા સત્તા મંડળના ઉપક્રમે ભોજન રથનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

માંગરોળનાં બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વસરાવી – ડુંગરી ગામનાં ગરીબ લોકોને રાશન કીટનું વિતરણ થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!