Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકાના કંથરપુરાના ગ્રામજનો કેનાલના પાણીથી વંચિત.

Share

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરા તથા મરસણ ગામના ખેડૂતોને જ્યારથી મરસણ માઇનોર કેનાલનું નિર્માણ કરાયું છે ત્યારથી આજ દિન સુધી આ કેનાલનું એક ટીપું પાણી ન મળતાં ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી છે. આ બાબતે ગામના આગેવાન ગૌરવ ભાઈએ જણાવ્યું હતું કે જ્યારથી કેનાલનું નિર્માણ થયું છે ત્યારથી માંડીને આજ દિન સુધી કેનાલનું પાણી મળ્યું જ નથી. જેથી ગ્રામજનોને ખેતી માટે, સિંચાઈ માટે તેમજ ઢોરઢાંખરના પશુચારા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ પાણી નહીં મળતાં કપાસનો પાક પણ સુકાઈ જાય છે. આ બાબતે કેવડિયા કોલોની ખાતે જે તે સંબંધિત કચેરીના અધિકારીઓને પણ જાણ કરી છે તેમ છતાં આજ દિન સુધી આ માંગણીઓને કચેરીએ ધ્યાનમાં લીધી નથી.

વધુમાં જાણવા મળેલ છે કે આ બાબતે ગ્રામજનોએ કલેકટર શ્રી, નર્મદા જિલ્લાને પણ લેખિતમાં જાણ કરેલ છે. જો ગ્રામજનોને સત્વરે પાણી આપવામાં નહીં આવે તો મુખ્યમંત્રીની કચેરીના દ્વાર ખખડાવતા પણ અચકાશે નહીં તેમ જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : વચગાળાના જામીન પર પર છુટેલ વડોદરા મધ્યસ્થ જેલનો પાકા કામનો કેદી ફરાર થતા જીઆઇડીસી પોલીસમાં નોંધાયો ગુનો..!

ProudOfGujarat

રાજપીપળામાં 400 વર્ષ જૂનું હરસિદ્ધિ માતાનું મંદિર 76 દિવસ બાદ ખુલ્યું ભક્તોએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં હાંસોટ તાલુકાનાં મલેકવાડનાં ચાર યુવાનો આલીયાબેટ નજીક નદીમાં ડૂબી જતાં 3 નાં મૃતદેહ મળી આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!