Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકાના કંથરપુરાના ગ્રામજનો કેનાલના પાણીથી વંચિત.

Share

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરા તથા મરસણ ગામના ખેડૂતોને જ્યારથી મરસણ માઇનોર કેનાલનું નિર્માણ કરાયું છે ત્યારથી આજ દિન સુધી આ કેનાલનું એક ટીપું પાણી ન મળતાં ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી છે. આ બાબતે ગામના આગેવાન ગૌરવ ભાઈએ જણાવ્યું હતું કે જ્યારથી કેનાલનું નિર્માણ થયું છે ત્યારથી માંડીને આજ દિન સુધી કેનાલનું પાણી મળ્યું જ નથી. જેથી ગ્રામજનોને ખેતી માટે, સિંચાઈ માટે તેમજ ઢોરઢાંખરના પશુચારા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ પાણી નહીં મળતાં કપાસનો પાક પણ સુકાઈ જાય છે. આ બાબતે કેવડિયા કોલોની ખાતે જે તે સંબંધિત કચેરીના અધિકારીઓને પણ જાણ કરી છે તેમ છતાં આજ દિન સુધી આ માંગણીઓને કચેરીએ ધ્યાનમાં લીધી નથી.

વધુમાં જાણવા મળેલ છે કે આ બાબતે ગ્રામજનોએ કલેકટર શ્રી, નર્મદા જિલ્લાને પણ લેખિતમાં જાણ કરેલ છે. જો ગ્રામજનોને સત્વરે પાણી આપવામાં નહીં આવે તો મુખ્યમંત્રીની કચેરીના દ્વાર ખખડાવતા પણ અચકાશે નહીં તેમ જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

ગોધરા : વાવાઝોડામાં નુકશાન પામેલા પાકનો સર્વે કરી વળતર આપવાની માંગ સાથે જીલ્લા કોંગ્રેસનુ આવેદનપત્ર.

ProudOfGujarat

મતદારોમાં પણ જાગૃત્તિ કેળવાય તેવા પ્રયાસો માટે શ્રી નિનામાની જાહેર અપીલ રાજપીપલા સહિત જિલ્લાભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની થયેલી ઉજવણી

ProudOfGujarat

અમદાવાદ જીલ્લા આઇ.ઇ.સી ઓફિસર વિજય પંડીતનો વિદાય સમારંભ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!