Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતના કામરેજમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો: સુરત જિલ્લામાં 2.60 કરોડના ખર્ચે 3730 લાભાર્થીને મળશે લાભ

Share

રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળા નું આયોજન રાજ્યમાં થઈ રહ્યું છે ત્યારે સુરત જિલ્લામાં 2.60 કરોડના ખર્ચે 3730 લાભાર્થીઓ ને સરકાર દ્વારા લાભ આપવામાં આવશે.ત્યારે કામરેજ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો.જેમાં રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ,ગુજરાત રાજ્ય પ્રવાશન નિગમ ના અધ્યક્ષ કમલેશ પટેલ સહિત ઓલપાડ,કામરેજ,ચોર્યાસી અને મહુવા ના ધારાસભ્ય હાજરી આપી હતી

Advertisement

સુરત જિલ્લાના કામરેજ તાલુકા મથકે આવેલ ભારતીય વિદ્યા મંડળ કોલેજ કેમ્પસ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો.જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી કિશોર કાનાણી ,પ્રવાશન નિગમના અધ્યક્ષ કમલેશ પટેલ સહિત ઓલપાડ,કામરેજ,ચોર્યાસી અને મહુવાના ધારાસભ્ય હાજરી આપી હતી.સુરત જિલ્લામાં 2.60 કરોડના ખર્ચે 3730 લાભાર્થીઓ ને લાભ આપવામાં આવ્યો હતો..આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ને રાજ્યમાં વધી રહેલા ભસ્ત્રાચાર મુદ્દે પૂછતાં તેઓએ કહ્યું હતુંકે ગુજરાતમાંથી હવે ભ્રષ્ટચાર દૂર થઈ રહ્યો છે અને સરકાર એ દિશામાં કામ કરી રહી છે

કામરેજ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં આદિજાતિ વિકાસ વિભાગની જુદીજુદી યોજના ઓમાં ખેડૂતોને ઓજાર સહાય, ખેત મજૂરો,સાધન સહાય, કુંવરબાઈ નું મામેરું,મત્સ્ય ઉધોગના સાધનોનું વિતરણ કરાયું હતું.અલગ અલગ વિભાગ દ્વારા 3 હજારથી વધુ લાભાર્થીઓ ને લાભ આપવામાં આવ્યો હતો


Share

Related posts

અંકલેશ્વરમાં ત્રીજી આગની ઘટના : નવજીવન હોટલ પાછળ ભંગાર ગોડાઉનમાં ભીષણ આગ, ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડ્યા

ProudOfGujarat

તંત્રની બેદરકારી :ભરૂચ: નગરપાલિકા દ્વારા ત્રણ કરોડ 28 લાખનો આર સી સી રોડ મંજુર હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં :કોઈ કામગીરી ઘરાઈ નથી .

ProudOfGujarat

ભરૂચ: ઝઘડિયા તાલુકાના દઢેરા ગામે એક અજાણી યુવતીનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!