Proud of Gujarat
Uncategorized

કામધેનુ ગૌ રક્ષા સમીતી દ્રારા ઘાયલ પંખીઓની સારવાર ની શરૂઆત

Share

દર વર્ષ ની જેમ પંખી પ્રેમીઓ દ્રારા ઉત્તરાયણ પર્વ ના દિવસો દરમ્યાન પંખીઓ ઘાયલ થય કે તરત જ તેણે સારવાર મળી રહે તેવુ આયોજન કરવામા આવે છે. ભરૂચ જિલ્લામા પણ પંખી પ્રેમીઓ એ આવા કેમ્પનુ આયોજન તા.૧૩-૦૧-૨૦૧૯ થી શરૂ કરી દીધુ છે. કામધેનુ ગૌ રક્ષા સમીતી ધ્વારા સમગ્ર ભરૂચ નગરમા હંગામી સારવાર કેંદ્રો ઉભા કરવામા આવેલ છે. આજે જ્યારે આકાશમા પતંગોની સંખ્યા નહીવત છે તેમ છતા કેટલાક પંખીઓ ઉજાગ્રસ્ત થયા હતા. જેણી વિગતો જોતા કામધેનુ ગૌ રક્ષા સમીતીના જયરામ ભાઈ ગલચર, નિલેષ ઠક્કર, રમેશ દવે વન વિભાગના અમરત ભાઈ રાઠવા, એ ઈજાગ્રસ્ત પંખીઓની સારવાર કરી હતી જેમા ઈજાગ્રસ્ત એક કબુતર, એક સમડી, એક કાબર નો સમાવેશ થાય છે. આ તમામ પંખીઓ ને પતંગ ની દોરી થી ઈજા થઈ હોવાનુ જણાયુ છે. પંખીઓ ની સારવાર એવન્યુ શોપીંગના હેલ્થ લાઈન સેન્ટરમા કરવામા આવી હતી. એમ કામધેનુ ગૈ રક્ષા સમીતીના સભ્યો એ જણાવ્યુ હતુ.

Advertisement

Share

Related posts

આતંકી હુમલામાં શહીદ થયેલાં જવાનોને પાલેજ ખાતે સોની મહાજનો એ અંજલિ આપી

ProudOfGujarat

નડિયાદ જવાહર નગર ખાતે રક્તદાન અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું 

ProudOfGujarat

ઓક્ટેન ફિટ સિટી ખાતે રક્તદાન શિબિર યોજાઈ, 50થી વધુ યુનિટ બ્લડ એકત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!