Proud of Gujarat
Uncategorized

કામધેનુ ગૌ રક્ષા સમીતી દ્રારા ઘાયલ પંખીઓની સારવાર ની શરૂઆત

Share

દર વર્ષ ની જેમ પંખી પ્રેમીઓ દ્રારા ઉત્તરાયણ પર્વ ના દિવસો દરમ્યાન પંખીઓ ઘાયલ થય કે તરત જ તેણે સારવાર મળી રહે તેવુ આયોજન કરવામા આવે છે. ભરૂચ જિલ્લામા પણ પંખી પ્રેમીઓ એ આવા કેમ્પનુ આયોજન તા.૧૩-૦૧-૨૦૧૯ થી શરૂ કરી દીધુ છે. કામધેનુ ગૌ રક્ષા સમીતી ધ્વારા સમગ્ર ભરૂચ નગરમા હંગામી સારવાર કેંદ્રો ઉભા કરવામા આવેલ છે. આજે જ્યારે આકાશમા પતંગોની સંખ્યા નહીવત છે તેમ છતા કેટલાક પંખીઓ ઉજાગ્રસ્ત થયા હતા. જેણી વિગતો જોતા કામધેનુ ગૌ રક્ષા સમીતીના જયરામ ભાઈ ગલચર, નિલેષ ઠક્કર, રમેશ દવે વન વિભાગના અમરત ભાઈ રાઠવા, એ ઈજાગ્રસ્ત પંખીઓની સારવાર કરી હતી જેમા ઈજાગ્રસ્ત એક કબુતર, એક સમડી, એક કાબર નો સમાવેશ થાય છે. આ તમામ પંખીઓ ને પતંગ ની દોરી થી ઈજા થઈ હોવાનુ જણાયુ છે. પંખીઓ ની સારવાર એવન્યુ શોપીંગના હેલ્થ લાઈન સેન્ટરમા કરવામા આવી હતી. એમ કામધેનુ ગૈ રક્ષા સમીતીના સભ્યો એ જણાવ્યુ હતુ.

Advertisement

Share

Related posts

મજાક મસ્તીમાં મામલો બિચક્યો, મિત્રના લમણે કાતર મારી દેતાં ગંભીર

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં માવઠાથી ખેડૂતોનો મરો, પાકને નુકસાનીની દહેશત

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીમાં વાવે ગુજરાત અભિયાન અંતર્ગત સહિત અન્ય સંસ્થાઓના સહયોગથી વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!