Proud of Gujarat
Uncategorized

અંકલેશ્વરમા ખાનગી ફાયરીંગ થતા ભય બેઠો

Share

અંકલેશ્વર નજીકના સારંગપુર વિસ્તારમા ગોરીબારના પગલે એક વ્યકતિ નુ મોત. ગત રાત્રીના સમયે અંકલેશ્વર નજીક સારંગપુર વિસ્તારમા ખાનગી ગોરીબારનો બનાવ બન્યો હતો. જે અંગેની બાબતો વાયુ વેગે ફેલાતા લોકોમા ભયની લાગણી ફેલાઈ ગઈ હતી. પદમાવત નગર વિસ્તારમા ગોરીબારનો બનાવ બન્યો હતો. જેમા ગેરેજ ના વ્યવસાય સાથે સંકાળેલ સમીમ ખાન ઝમીલ ખાન ઉ.વ આશરે ૩૫ નુ મોત નિપજ્યુ હતુ. સમીમખાન રાત્રીના સમયે ગેરેજ બંધ કરી પોતાના ઘરે પરત આવ્યા હતા. અણે મોટર સાયકલ મુકી ઘરમા પ્રવેશ કરવા જતા હતા. તેવા સમયે અચાનક બે જેટલા અજાણ્યા ઈસમોએ સમીમખાન પર ફાયરીંગ કર્યુ હતુ. સમીમખાન ના મોંઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેના પગલે તેમણુ મોત નિપજ્યુ હતુ. આ બનાવ અંગે અંકલેશ્વર પોલીસે ગુણો નોંધી તપાસનો આરંભ કર્યો હતો. તપાસ અંગે ડોગ સ્કોડ અને એફ.એસ.એલ વિભાગની મદદ લેવાઈ રહી છે. આ બનાવ અંગે ઘણા રહસ્યો અને પ્રશ્ન ઉપસ્થીત થયા છે. પદમાવત સારંગપુર વિસ્તાર સતત વહાનો અને રાહદારીઓની અવર જવર ધરાવતો વિસ્તાર છે. તેમા ફાયરીંગની ઘટના બને તે સુચક છે. એટલુજ નહી પરંતુ સમીમ ખાન ગેરેજ બંધ કરીને ઘરે આવ્યા તારે જ તેણા પર ગોલી બાર કરાયો હતો. જેણો અર્થ એ થાય કે હત્યારાઓ ગેરેજ થી જ સમીમ ખાન નો પીછો કરતા હોય તેવી શંકા નકારી શકાતી નથી. પરંતુ આ ગોલીબાર કરનાર કોણ…..??? અણે તેઓ કયા હેતુસર સમીમ ની હત્યા કરવા માંગતા હતા એટલુજ નહી પરંતુ આવા ભરચક વિસ્તારમા હત્યારાઓ ઝડપથી પલાયન થઈ જાય તે પણ સુચક બાબત છે. પદમાવત અને સારંગપુર વિસ્તારમા ખાનગી પીસ્તોલ આને તમંચાઓ પકડાયા હોવાની ઘટના અવારનવાર બનતી રહે છે. તેમ છતા પોલીસ તંત્ર ધ્વારા અત્યાર સુધી આ વિસ્તારનુ ડોર ટુ ડોર કોંમ્બીગ ઘણા સમયથી કરાયુ નથી. જે નોંધ પાત્ર બાબત છે.

Advertisement

Share

Related posts

અંસાર માર્કેટમાં આગના બનાવ બાદ તંત્ર એકશનમાં કેમિકલયુક્ત પ્લાસ્ટિક બેગો ધોવાતી હોવાનું બહાર આવ્યું પાણીનું કનેક્શન કાપી નાખવા સૂચના અપાઈ

ProudOfGujarat

ગંભીર અકસ્માત : સુરતથી ભાવનગર જતી ઇકો તારાપુર પાસે ટ્રક સાથે અથડાતાં 10 નાં મોત : CM એ ટવીટ કરી શ્રધ્ધાંજલી અર્પી.

ProudOfGujarat

ભરૂચ તથા નર્મદા જિલ્લા માટે કરાર આધારિત કાયદા અધિકારીશ્રીની ૦૧(એક) જગ્‍યાની નિમણૂંક જોગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!