Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદાનદીમાં નીર છોડવા વડાપ્રધાનને કલેકટર મારફતે આવેદન પત્ર પાઠવાયું

Share

નર્મદાનદીમાં નીર છોડવા વડાપ્રધાનને કલેકટર મારફતે આવેદન પત્ર પાઠવાયું
વડાપ્રધાનને ચૂંદડી અને નારિયેળ મોકલતા નદી કિનારાના લોકો
ભરૂચ જિલ્લાના નર્મદામાતાના કિનારે વસેલ ઝનોર અંગારેશ્વર નિકોરા શુકલતીર્થ તેમજ નર્મદા નદીના પૂર્વ પટ્ટીના ખેડૂતો માછીમારો અને રહીશોએ દેશના વડાપ્રધાનને સંબોધીને કલેકટર મારફત આવેદન પત્ર પાઠવ્યું હતું
ખોડલધામના ટ્રસ્ટી અને અગારેશ્વરના મહેશ પરમારની આગેવાનીમાં શક્તિનાથ સર્કલ થી કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ હતી અને ત્યાર બાદ આવેદન પત્ર પાઠવાયું હતું આવેદનપત્રમાં જણાવાયું છે કે નર્મદા જ્યંતી નિમિત્તે નર્મદાને ૩૦૦ મીટર ની ચૂંદડી અર્પણ કરાય છે પરંતુ પાણી સુકાતા આ રિવાજ પૂર્ણ નથતા ધાર્મિક આસ્થા દુભાઈ છે આવનાર તા ૧૨ મી ના રોજ નર્મદા જ્યંતી છે તેથી નદીમાં પાણી છોડવા વિંનતી જેથી ચૂંદડી અર્પણ કરી શકાય ભરૂચ નગર ના અસ્તિત્વ સાથે મનર્મદા સંકળાયેલ છે તેથી અને પાણી સુકાતા નદી કિનારાના ગામોમાં દીપડા અને અન્ય હિંસક પ્રાણીઓના હુમલા વધ્યા છે તેથી નદીમાં પાણી છોડવા વિંનતી કરવામાં આવી છે વન વિસ્તાર નાસ પામી રહ્યો છે માછીમારો ની આજીવિકા છીનવાઈ રહી છે સિંચાઇના અભાવે ફૂલોની ખેતી નાસ પામી રહી છે ઝનોર અને નાદ વિસ્તારમાં ખેડૂતોના પમ્પોમાં પાણી ન આવતા ખેતીને ફટકો પડેલ છે આબધા કારણોસર નર્મદાનદીમાં નીર છોડવાની માંગ કરવામાં આવી છે

Advertisement

Share

Related posts

ભરૂચ : પાલેજ કુમારશાળામાં “એક ભારત શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

જંબુસરના માલપુર ગામે રાત્રીના અગ્નિતાંડવ બે મકાનો આગમાં થયા ભસ્મીભૂત.

ProudOfGujarat

જામનગરમાં ૪૧ મી શિવ શોભાયાત્રાનું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે કરાવ્યું પ્રસ્થાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!