Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

મનીષનંદ સોસાયટી વિસ્તારમાં અછોડા તોડની ઘટના બનતા લોકોમાં ભય વ્યાપ્યો…

Share

ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ મનીષનંદ સોસાયટીમાં એક મહિલાના ગળામાંથી અછોડો ખેંચી અસામાજિક તત્વો ફરાર થઇ ગયા હતા. મહિલાના જણાવ્યાં અનુસાર અજાણ્યા બે ઇસમો મોટરસાયકલ પર આવ્યા હતા અને અછોડો તોડી ફરાર થઈ ગયા હતા. આ અંગેની વિગતો જોતા ભરૂચ નગરના મનીષનંદ સોસાયટીમાં આ બનાવ બન્યો હતો જેમાં તારીખ 18-2-2019ના રોજ સવારે 11:30ના અરસામાં નીરુબહેન મગનભાઈ પરમાર પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક મોટરસાઇકલ પર બે અજાણ્યા ઇસમો આવ્યા હતા તેમણે નીરુબહેનના ગળામાંથી 25 ગ્રામ વજનનો સોનાનો અછોડો આંચકી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે એ-ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

વડોદરાનાં વઢવાણાને કાંઠે શિયાળો માણવા અંદાજે 163 જેટલી પ્રજાતિઓના 95 હજારથી વધુ પક્ષી આવ્યા.

ProudOfGujarat

ભરૂચના વાલિયામાં ચુંટણીને લઈને મારામારી અને લૂંટનો બનાવ બનતા ચકચાર.

ProudOfGujarat

અમદાવાદમાં બિસ્માર રોડ, ભુવા અને ભ્રષ્ટાચાર મુદ્દે AMC ની ઓફિસ બહાર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!