Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

મનીષનંદ સોસાયટી વિસ્તારમાં અછોડા તોડની ઘટના બનતા લોકોમાં ભય વ્યાપ્યો…

Share

ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ મનીષનંદ સોસાયટીમાં એક મહિલાના ગળામાંથી અછોડો ખેંચી અસામાજિક તત્વો ફરાર થઇ ગયા હતા. મહિલાના જણાવ્યાં અનુસાર અજાણ્યા બે ઇસમો મોટરસાયકલ પર આવ્યા હતા અને અછોડો તોડી ફરાર થઈ ગયા હતા. આ અંગેની વિગતો જોતા ભરૂચ નગરના મનીષનંદ સોસાયટીમાં આ બનાવ બન્યો હતો જેમાં તારીખ 18-2-2019ના રોજ સવારે 11:30ના અરસામાં નીરુબહેન મગનભાઈ પરમાર પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક મોટરસાઇકલ પર બે અજાણ્યા ઇસમો આવ્યા હતા તેમણે નીરુબહેનના ગળામાંથી 25 ગ્રામ વજનનો સોનાનો અછોડો આંચકી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે એ-ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

પાલિકા, ફોરેસ્ટ વિભાગે સામુહિક રીતે રતન તળાવના દુર્લભ કાચબાનું અસ્તિત્વ મિટાવવા માંગે છે?

ProudOfGujarat

શહેરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ૬૦૦૦ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા

ProudOfGujarat

અભિનેત્રી કશિકા કપૂર તેના નવા રોમેન્ટિક ગીત ઓ માહીથી ચાહકોને આશ્ચર્યચકિત કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!