Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

મનીષનંદ સોસાયટી વિસ્તારમાં અછોડા તોડની ઘટના બનતા લોકોમાં ભય વ્યાપ્યો…

Share

ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ મનીષનંદ સોસાયટીમાં એક મહિલાના ગળામાંથી અછોડો ખેંચી અસામાજિક તત્વો ફરાર થઇ ગયા હતા. મહિલાના જણાવ્યાં અનુસાર અજાણ્યા બે ઇસમો મોટરસાયકલ પર આવ્યા હતા અને અછોડો તોડી ફરાર થઈ ગયા હતા. આ અંગેની વિગતો જોતા ભરૂચ નગરના મનીષનંદ સોસાયટીમાં આ બનાવ બન્યો હતો જેમાં તારીખ 18-2-2019ના રોજ સવારે 11:30ના અરસામાં નીરુબહેન મગનભાઈ પરમાર પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક મોટરસાઇકલ પર બે અજાણ્યા ઇસમો આવ્યા હતા તેમણે નીરુબહેનના ગળામાંથી 25 ગ્રામ વજનનો સોનાનો અછોડો આંચકી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે એ-ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં ઝધડીયાનાં ભાલોદ ગામે નર્મદા નદીમાંથી પ્રેમિકાની લાશ મળ્યા બાદ પ્રેમીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.

ProudOfGujarat

ભરૂચમાં દુકાનનું શટર તોડી ચોરી કરતી ગેંગના ત્રણ શખ્સોને ઝડપી પાડતી સી ડિવિઝન પોલીસ.

ProudOfGujarat

ઝઘડિયા ખાતે નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!