Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

વાલિયાના કરા ગામ મંદિર ફળિયામાં ચોરીનો બનાવ બનતા સનસનાટી…

Share

ભરૂચ જીલ્લાના વાલીયાના કરા ગામ મંદિર ફળિયામાં 1,35,000ની મત્તાની ચોરીનો બનાવ બન્યો હતો.આ બનાવ બનતા વાલિયા પંથકમાં ચોરીનો ભય વ્યાપી ગયો છે.ચોરી તારીખ 5-3-2019 ના બપોરે બે વાગ્યાથી 6-3-2019 ના સવારે ૬ વાગ્યાના અરસામાં કરા ગામ ખાતે થઈ હતી.આ બનાવ અંગે ફરિયાદી કનકસિંહ ડાયાભાઈ કોસમીયાના જણાવ્યા અનુસાર કોઈ અજાણ્યા ચોર ઈસમે ફરિયાદીના મકાનના દરવાજાને લગાડેલ તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં રાખેલ દિવાલ કબાટની તિજોરી ખોલી તેમાંથી એક મંગળસૂત્ર કિંમત રૂપિયા આશરે એક લાખ,સોનાની કડી નંગ-૨ આશરે કિંમત 20,000,એક સોનાનો ટુકડો કિંમત આશરે 10,000,ચાંદીના સિક્કા નંગ-15 આશરે કિંમત રૂપિયા 5,000 મળી કુલ 1,35,000 મત્તાની ચોરી કરી હોવાનો બનાવ બન્યો હતો.આ બનાવ અંગે વાલિયા પોલીસ ખાતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં મોરવા(હડફ) ખાતે સાંસદશ્રી રતનસિંહ રાઠોડની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી

ProudOfGujarat

રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ : વિદ્યાર્થીઓનાં ઓનલાઇન વર્ગો થશે શરૂ.

ProudOfGujarat

કોરોના મહામારીમાંથી મુક્તિ મેળવવા હજુ ભરૂચીઓએ ગ્રીન જોનમાં આવવાં 21 દિવસની રાહ જોવી પડશે..!!જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!