Proud of Gujarat
FeaturedGujarat

નર્મદા નદીમાં મગરનું જોખમ વધશે.ગરમીમાં નદીમાં ન્હાતા પહેલા વિચારજો…

Share

ભરૂચ જિલ્લામાંથી વહેતી નર્મદા નદીમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા લોકો અને ખાસ કરીને બાળકો નદીમાં ન્હાવા જતા હોય છે પરંતુ હવે નદીમાં નહાવું જોખમકારક સાબિત થઇ શકે તેમ છે નર્મદા નદીમાં મગરોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે.શુકલતીર્થ,કડોદ,તવરા અને નર્મદા નદીના અન્ય કિનારાના વિસ્તારો પાસેથી વહેતી નર્મદા નદીમાં રહેલા મગરોએ માનવીઓ પર હુમલા કર્યા હોય તેમજ માનવીઓને પાણીમાં ખેંચી ગયા હોવાના બનાવો પણ વધ્યા છે.એક બાજુ નદીમાં પાણી ઘટી ગયું છે તેથી મગરોનો ભય વધી ગયો છે.નર્મદા નદીમાં ૨૦૦ કરતા વધુ મગરો હોય તેવી શક્યતા છે.હવે મગરોનો પ્રજનન સમય શરૂ થયો છે ત્યારે મગરોની સંખ્યા વધી શકે છે તેથી નદીમાં સ્નાન કરવું વધુ જોખમી બની રહ્યું છે જે બાબતે તંત્રે પણ ધ્યાન રાખવું જોઈએ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકા અને એસ.ટી. ડેપોના સંયુક્ત ઉપક્રમે તથા ધાર્મિક સંસ્થાના સહયોગથી સફાઈ અભિયાન અને શેરી નાટકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

ProudOfGujarat

અમદાવાદનાં શાહીબાગમાં આવેલ ફ્લેટમાં આગ લાગતા 4 દાઝ્યા, 1 કિશોરીનું મોત

ProudOfGujarat

અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે આવતી કાલે યોજાનાર ગણેશ પુરાણ કથાની તડામાર તૈયારીઓ શરુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!