Proud of Gujarat
FeaturedGujaratHealth

ભરૂચમાં સતત વધતો તાપમાનનો પારો.સતત વધતી ગરમીના પગલે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના …

Share

દિનેશભાઇ અડવાણી

સમગ્ર ભરૂચ પંથકમાં કાળઝાળ ગરમીનું વાતાવરણ જણાય રહ્યું છે.હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ ગરમી સરેરાશ ૪૧ ડિગ્રી નોંધાય રહી છે.તારીખ ૨૨મી માર્ચ બાદ ભરૂચ પંથકમાં ગરમીનો પ્રકોપ શરૂ થઇ ગયો હતો તે ધીમે-ધીમે હાલ ૪૦ ડિગ્રીની ઉપર પોહચી ગયો છે.આવી ગરમીના પ્રકોપના પગલે તેની સામાન્ય જનજીવન પર અસર સ્પષ્ટપણે જણાય રહી છે.આવી અસરોની વિગતો જોતા બપોરના સમયે રસ્તા સુમસામ થઇ જાય છે.એટલું જ નહિ પરંતુ ગરમીની બીમારી જેવીં કે માથું દુખવું,ચક્કર આવવા,નીચું લોહીનું દબાણ વેગેરેથી પીડાતા દર્દીઓની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે.આવનારા દિવસોમાં વધુ ગરમી વધે ત્યારે ભરૂચ વિસ્તારમાં રહેતા લોકોની હાલત ગરમીના પ્રકોપથી વધુ બગડે તેવી સંભાવના નકારી શકાતી નથી.લોકોએ આવી ગરમીમાં સાવચેતી રાખવાની જરૂર છે.શરીરમાં પાણીની કમી ના થાય તે માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ.ગરમીમાં રાહત આપે તેવા ફળો ખાવા જોઈએ આવી અનેક બીજી સાવચેતી રાખવાથી ગરમીના પ્રકોપથી બચી શકાય છે.

Advertisement

Share

Related posts

વાપી : DGVCL ની ટીમોએ દરોડા પાડી વીજ મીટરમાં થતી ગેરરીતિ ઝડપી પાડી લાખોનો દંડ કરાયો.

ProudOfGujarat

અંકલેશ્વરના જીન ફળિયામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર કરતા ધરતીપુત્રોમાં હરખની હેલી દોડી જવા પામી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!