Proud of Gujarat
FeaturedGujaratHealth

ભરૂચમાં સતત વધતો તાપમાનનો પારો.સતત વધતી ગરમીના પગલે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના …

Share

દિનેશભાઇ અડવાણી

સમગ્ર ભરૂચ પંથકમાં કાળઝાળ ગરમીનું વાતાવરણ જણાય રહ્યું છે.હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ ગરમી સરેરાશ ૪૧ ડિગ્રી નોંધાય રહી છે.તારીખ ૨૨મી માર્ચ બાદ ભરૂચ પંથકમાં ગરમીનો પ્રકોપ શરૂ થઇ ગયો હતો તે ધીમે-ધીમે હાલ ૪૦ ડિગ્રીની ઉપર પોહચી ગયો છે.આવી ગરમીના પ્રકોપના પગલે તેની સામાન્ય જનજીવન પર અસર સ્પષ્ટપણે જણાય રહી છે.આવી અસરોની વિગતો જોતા બપોરના સમયે રસ્તા સુમસામ થઇ જાય છે.એટલું જ નહિ પરંતુ ગરમીની બીમારી જેવીં કે માથું દુખવું,ચક્કર આવવા,નીચું લોહીનું દબાણ વેગેરેથી પીડાતા દર્દીઓની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે.આવનારા દિવસોમાં વધુ ગરમી વધે ત્યારે ભરૂચ વિસ્તારમાં રહેતા લોકોની હાલત ગરમીના પ્રકોપથી વધુ બગડે તેવી સંભાવના નકારી શકાતી નથી.લોકોએ આવી ગરમીમાં સાવચેતી રાખવાની જરૂર છે.શરીરમાં પાણીની કમી ના થાય તે માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ.ગરમીમાં રાહત આપે તેવા ફળો ખાવા જોઈએ આવી અનેક બીજી સાવચેતી રાખવાથી ગરમીના પ્રકોપથી બચી શકાય છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : લખી ગામમાં આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લોકલ યુવાનોને રોજગારી ન આપતા તેમજ પ્રદૂષણ ફેલાવવાનાં મુદ્દે ગામલોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું…

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં શિક્ષિકાની કૃતિ રાષ્ટ્રીય માર્ગદર્શિકા માટે પસંદગી પામી.

ProudOfGujarat

ગોધરા નેહરુ યુવા કેન્દ્રની જિલ્લા સલાહકાર સમિતિ યુવા કાર્યક્રમની બેઠક જિલ્લા કલેકટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!