Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામની વૃદ્ધાએ આત્મવિલોપન કર્યું જાણો કેમ ?

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ પંથકમાં ઘણાં રહસ્યમય બનાવો બનતા હોય છે જે બનાવોમાં ખરેખર આમ બન્યું હશે કે કેમ તે અંગે વિચાર કરવો પડે .આવોજ એક બનાવ આજે ભરૂચ જિલ્લાના આમોદ નગર ખાતે બન્યો હતો .જેમાં જંબુસર તાલુકાના વેડચ ગામની વૃદ્ધાએ આમોદના બાળમંદિર નજીક સવારે ૯ વાગ્યાના અરસામાં કેરોસીન છાંટી આત્મવિલોપન કર્યું હતું .આ બનાવની વિગત જોતા આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જમનાબેન નાગજીભાઈ સોલંકી ઉમર વર્ષ ૭૫ રહેવાસી વેડચ તાલુકો.જંબુસર ૨-૩ દિવસ પેહલા આમોદ ખાતે રહેતી તેમની મામી સાસુ લક્ષ્મી સોલંકીને ત્યાં આવ્યા હતા.એવામાં આજે સવારે ૯ વાગે લક્ષ્મીબેન સોલંકી વાડામાં વાસણ ધોઈ રહ્યા હતા ત્યારે સવારે ૯ કલાકે અચાનક જમનાબેન સોલંકી આમોદના બાળમંદિર ખાતે પોહચી ગયા હતા અને શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપન કર્યું હતું.જોકે આમોદ સૂત્રોએ એમ જણાવ્યું હતું કે જમનાબેન અસ્થિર મગજના હતા.આ બનાવની તાપસ આમોદ પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

૧૪ ઓગસ્ટના રોજ અનેક દેશોમાં ડોલ્બી સિનેમા® સ્ક્રીન પર રિલીઝ થનારી વોર ૨ (હિન્દી અને તેલુગુ) એકમાત્ર ભારતીય ફિલ્મ બનશે – યશ રાજ ફિલ્મ્સ અને ડોલ્બી દ્વારા સીમાચિહ્નરૂપ જાહેરાત

ProudOfGujarat

સુરતના સલાબતપુરા પોલીસ મથકની હદમાં ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલના ફરી દરોડા, લાખોનો દારૂનો મુદ્દામાલ કબ્જે

ProudOfGujarat

ભરૂચમાં સતત ચોથા વર્ષે પોલીસ વિભાગ દ્વારા સેફ એન્ડ સિક્યોર નવરાત્રીનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!