Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર એનસીટીના કર્મચારીની હડતાલ ત્રીજા દિવસે એ.આઇ.એ,પી.આઈ.એ અને જીપીસીબી દ્વારા દરમિયાનગીરી કરી ચુંટણી બાદ તેમના પ્રશ્નોનુ નિરાકરણ લાવવાની બાંહેધરી આપતાં કર્મીઓએ હડતાળ પાછી ખેંચી હતી.

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર, ઝગડીયા અને પાનોલી જીઆઇડીસીના પ્રદુષિત પાણીને ટ્રીટમેન્ટ કરી દરિયામાં ઠાલવતી એનસીટી કંપનીના કોન્ટ્રક્ટના કર્મચારીઓ ગત શનિવારના રોજ હડતાલ પર ઉતર્યા હતા. જેના ત્રીજા દિવસના અંતે જીપીસીબીની વડી કચેરીના અધિકારીઓ, એ.આઈ.એ અને પી.આઈ.એના કમિટી સભ્યો તેમજ એનસીટી અને કર્મચારીઓ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી.જે બેઠકમાં વાટાઘાટો બાદ મેનેજમેન્ટે કામદારોના પ્રશ્નોનું ચૂંટણી બાદ નિરાકરણ લાવવાની બાંહેધરી આપતા કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી હતી જેના પગલે કામદારોએ ફરી તેમની કામગીરીની શરૂઆત કરી હતી. જો કે ચૂંટણી બાદ તેમની માંગણીઓ નહિ સંતોષાય તો કર્મચાઓએ ફરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement


Share

Related posts

ગોધરામાં ભુરાવાવ ચોકડી પાસે જિલ્લા પંચાયત પ્રમુખ અને પોલીસ પ્રશાસનનાં સહયોગથી નિઃશુલ્ક માસ્ક વિતરણનું અભિયાન યોજાયું.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં લવેટ ગામે શાકભાજીની 800 કીટ બનાવી વિતરણ કરી.

ProudOfGujarat

સુરત : કોરોના વાઇરસની મહામારી વચ્ચે મહિલા સફાઈ કર્મચારી નવ માસના ગર્ભ સાથે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સુરતને સ્વચ્છ રાખવા રોજ 5 કલાકથી વધારે કામ કરે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!