Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:શુક્લતીર્થ ગામના યુવાનો દ્વારા આનોખી રીતે સ્વચ્છતા અભિયાન…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામના રાણી ફળિયાના યુવકો દ્વારા પોતાના ગામને સ્વચ્છ રાખવા માટે મહિનામાં એક-બે વાર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે.ગામના યુવાનોએ પોતાના ગામને સ્વચ્છ રાખવાનું બીડું ઝડપ્યું હોય તેમ ગામના કોઈપણ વિસ્તારને પસંદ કરી તે વિસ્તારને સ્વચ્છ કરી નાખે છે.હાલમાં જ પોતાના સ્વચ્છતા અભિયાન અંતર્ગત યુવકો દ્વારા નદી કિનારાના વિસ્તારને સ્વચ્છ કર્યો હતો.નદી કિનારે આવતા સહેલાણીઓ દ્વારા ફેંકવામાં આવતા કચરાને કારણે નદી દુષિત થાય છે અને નદી કિનારો અસ્વચ્છ બને છે. શુકલતીર્થ ગામના યુવકોએ નદી કિનારાને સ્વચ્છ કરી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સ્વચ્છતા રાખવી એ આપી સૌની ફરજ છે.

Advertisement


Share

Related posts

પાનોલી જીઆઇડીસી સ્થિત સલ્ફર મિલ્સ પ્રા.લી. કંપનીમાં એક અધિકારીને ઝેરી ગેસ લાગતા મૃત્યુ થયું.

ProudOfGujarat

લીંબડીમાં બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે પાણી ભરાતા દલિત સમાજે નગરપાલિકા ખાતે ધરણાં કર્યા.

ProudOfGujarat

વલસાડની હોસ્ટેલના કૂકે વિદ્યાર્થિનીઓને ફોન પર અભદ્ર વાતો કરતાં ભારે હોબાળો-જાણો ભરૂચ ના રસોઈયા વિરુદ્ધ રજુઆત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!