Proud of Gujarat
EducationFeaturedGujarat

ભરૂચની કવિન ઓફ એંજલ શાળાના સંચાલકો આખરે ઝુક્યા.RTE હેઠળ બાળકોને શાળા પ્રવેશ આપવા તૈયાર…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચમાં ખ્રિસ્તી મિશનરીની શાળાઓ તેમના આપખુદશાહી વહીવટના કારણે અવાર-નવાર વિવાદના વમળોમાં ઘેરાયેલી રહે છે.વડદલા ખાતે આવેલ ક્વીન ઓફ એન્જલ સ્કૂલએ સરકારના RTE નિયમ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ ના આપતા વિવાદ છેડાયો હતો વાલીઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ફરિયાદ કરવા છતાં શાળા સંચાલકો મચક ના આપતા આ મામલો ગાંધીનગર પોહ્ચ્યો હતો.ત્યારે આજરોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.ટી.પટેલે શાળામાં આક્રમક વિઝીટ કરી હતી અને પ્રાથમિક શિક્ષણાધિકારી કે.ટી.પટેલે કડક સૂચના આપતા RTE હેઠળ બાળકોને શાળા પ્રવેશ આપવા કવિન ઓફ એંજલ શાળાના સંચાલકો આખરે તૈયાર થયા હતા.આ બનાવને જોતા ગુજરાતી કહેવત આખરે સાચી ઠરી “ચમત્કાર બતાવો તો જ નમસ્કાર થાય “.

Advertisement

ફાઈલ ફોટો


Share

Related posts

રાજકોટ : બેંકમાંથી લોન લઈ ન ચૂકવેલ બે વ્યક્તિને ૬ મહિનાની સજા, વળતર રૂપે ચેકની રકમ વાર્ષિક ૯ ટકાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ આપ્યો.

ProudOfGujarat

નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોટલોના માલિકો અને વોચમેનો સાથે સુરક્ષા અંગે શિબિર યોજાઇ.

ProudOfGujarat

ભરૂચનાં દાંડિયા બજાર વિસ્તારમાં 3 બાઇકને રહસ્યમય રીતે આગ ચાંપી દેવાની ધટના પ્રકાશમાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!