Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- અંતરનાથ મહાદેવ મંદિર ખાતે ગતરોજ ત્રણ હજારથી પણ વધુ કમળના ફૂલ ચઢાવવામાં આવ્યા…

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ વિસ્તારમાં આવેલું પુરાણીક મંદિર અંતરનાથ મહાદેવ ખાતે ગુજરાત પોલીસમાં આઇજીપી ગાંધીનગર રેન્જમાં ફરજ બજાવતા નિતિરાજસિહ સોલંકી તેમજ તેમના પરિવાર દ્વારા ત્રણ હજારથી વધુ કમળ ફૂલ અંતરનાથ મહાદેવ મંદિર ખાતે શિવલિંગ ઉપર ચઢાવવામાં આવ્યા હતા. છેલ્લા સાત વર્ષોથી નર્મદા નદીના મુખ સુરપાણેશ્વર થી તમામ મહાદેવ મંદિરોમાં નિતિરાજસિહ સોલંકી દ્વારા આજ રીતે કમળ ચઢાવવામાં આવે છે. તેમણે પંચનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી ત્રણ હજારથી વધુ કમળ ચઢાવ્યા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતભરમાં તેમજ દેશભરમાં સારો વરસાદ પડી રહે જનજીવન સારી રીતે જીવી શકે ખેડૂતો પોતાની ખેતી સારી રીતે કરી શકે તે હેતુથી હું આ કાર્ય કરું છું. આ પ્રસંગે અંતરનાથ મહાદેવ મંદિરના સાધુ-સંતો તેમજ નિતિરાજસિહ સોલંકી નગરપાલિકાના કાઉન્સિલર ગણેશ અગ્રવાલ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચ : નેત્રંગમાં ભાજપે પશ્ચિમ બંગાળમાં લોકતંત્રની હત્યા બાબતે વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં ઘટેલી દુર્ઘટનાં મામલે સમસ્ત જિલ્લા માછીમાર સમાજ દ્વારા એનજીટીમાં ફરિયાદ આપતા એનજીટી દ્વારા કંપનીને રૂપિયા 25 કરોડ કોર્ટમાં જમા કરાવવાનો હુકમ કરી એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ProudOfGujarat

હલ્લાબોલ – 10 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું કોંગ્રેસ દ્વારા એલાન : મોંઘવારી-બેરોજગારી મુદ્દે લોકોને સ્વેચ્છાએ જોડાવવા અપીલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!